SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪] દર્શન અને ચિંતન કીડી-કેડી અને બહુ તો પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે; પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણવી જોઈએઃ (૧) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સો વર્ષના નાનામેટા અને ભયંકર દુષ્કાળે તેમ જ બીજી કુદરતી આફતો લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માને માટે કેટકેટલું અહિંસાપોષક સંધ તરફથી કરવામાં આવ્યું છે ! કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે ! કેટલું અન્ન વહેંચવામાં આવ્યું. છે! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે! દા. ત. છપ્પનિયે દુષ્કાળ લે કે જેની વિગતો મેળવી શક્ય છે. (૨) દુકાળો અને બીજી કુદરતી આફત ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જે કંઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી. રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરેડ જેટલે ફકીર, બાવા અને સાધુસંતોનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુવર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતે આવ્યો છે અને નભે જાય છે તે. આટલે સાચે બચાવ છતાં ઉપર દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્યો સમાયેલાં છે જે બહુ કીમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઊભી થઈ છે: (૧) પહેલું તે એ કે આપણે માનવજાતિ તરફની અહિંસા, કે દયા વ્યવસ્થિત કે સંગઠિત નથી; એટલે મોટેભાગે જ્યાં, જેવી રીતે અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂર હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરવામાં સાવધાની કે ચેસાઈ રખાતી નથી; તેમ જ ઘણીવાર માનવભાઈઓ પાછળ એવો અને એટલે બધે. ખર્ચ થાય છે કે ઊલટે એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમેરાનું કારણ થઈ જાય છે. (૨) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઊભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધમ અને પરદેશના ભાઈઓ આપણા દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દૃષ્ટિથી સેવા કરનારી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણું દેશવાસીઓ જીવનનિર્વાહ તેમ જ બીજી સગવડસર આપણા દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લેકે તરફ ઢળી જતા હોય, ત્યારે તે દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર પણ માનવસેવા તરફ સૌથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy