________________
અહિંસા અને અમારિ
[૪૬૩ કરે છે, અને એ પિતાના સાથીઓ તેમ જ પિતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં કે વ્યવહાર રાખે છે? એ વ્યવહારમાં જે એ માણસ મારવાડીવ્યાજ લેતા હોય અને આખાં કેળાં હડપતા હોય એની સખાવતે અમારિધર્મ નહિ કહેવાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને જીવનવ્યવહારમાં આપણા સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કરવામાં સમાનતા અને આત્મીયતાને પાઠ શીખવે છે. એ વિનાને અમારિધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તે એ જ સમાનતાની શિક્ષા આપે છે.
આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિધર્મને વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પરત્વે જુદો વિચાર કરવાનું ભાગ્યે જ રહે છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશનો ઉદ્યોગધ ધ સ્થિર થયે અને વ્યાપારી તેમ જ માલિકે દ્વારા આર્થિક વહેચણીમાં સમાનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાને મેટો ભાગ શક્ત થયે, અને એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને અસંતોષ નહિ રહેવાનાં. આજે એ વર્ગ સરકાર-દરબારની
કરીચાકરીની હૂંફ માટે તલસે છે; એ વિના એને બીજો ત્રાણપાય દેખાતે નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધંધાધાપે સ્થિર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ ગુલામી પિષવામાં ખર્ચાય એ ભારે વસમું લાગશે અને એ આપમેળે જ દેશદ્રોહી કામમાં સાથ આપ છોડી દઈ દેશકાર્યમાં જ સાથ આપશે. એટલે એક બાજી અમારિ ધર્મ અત્યારના ગરીબોને સશક્ત બનાવશે અને બીજી બાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશધાતક રાજતંત્રમાંથી ભાગ લેતાં રેકી સ્વતંત્ર બનાવશે.
છેલ્લો અને ચોથો મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે અમારિ. ધર્મને વિચાર લાગુ પાડતાં જ વાળામુખી ફાટવાને કે ધરતીકંપ થવાને ભય છે. જે રાજાઓ પિતાને વારસામાં મળેલ રાજ્યને પિતાની અંગત આવકનું સાધન માનતા હશે અને જેમના જીવનમાં મોજશેખ સિવાય બીજુ તત્વ જ નહિ હોય, પ્રજામાત્રનું પૂરું પેટ ભરાયા સિવાય પિતાને ખાવાને હકક નથી, પિતાની પ્રજાને એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાં સુધી સુખ કે ચેનમાં રહેવાને તેને ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારે આપણી વિરુદ્ધ ખણખણવાનાં. અમારિ ધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એિ તે મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણીવાર કોઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ધણીવાર કોઈને કાંઈ અપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org