________________
૪૪૬]
દર્શન અને ચિંતન અને ક્યાં એ કીમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જે જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણું સમાજને જીવિત શાંતિ અપ હોત, અથવા હજી પણ અર્પતા હોય તે, વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં, આપણે ઊંચું માથું કરી એમ કહી શકત કે અમે આટલું તો કર્યું છે. પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈઓ તે આપણે પિતાને મોઢે જ કબૂલ કરીએ છીએ; એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસે, જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીમતી લેખાય છે તે, ફેંકી દે ? અગર તે તે મારફત શું કરવું? તેનાથી પરિણામ સાધવાની શી કુંચી છે ? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પૂરી થઈ જાય છે.
સમયે સમયે નવાં નવાં બળે પ્રગટે છે અને ક્ષેત્રો ખુલ્લાં થાય છે. એક જ વસ્તુને ભિન્ન ભિન્ન સમયમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જુદો ઉપગ થઈ શકે છે. આજે ભારતવર્ષને સાચા તપ અને પરિવહની જરૂર ઊભી થઈ છે. આપણે સમાજ તપ અને પરિષહેથી ટેવાયલે છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઊઘડતી હોય તે પછી એનાથી વ્યાવહારિક આંખ તે ઊઘડવી જ જોઈએ ! અને તપ કે પરિષ દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જે દષ્ટિ હોય છે, તેનાથી આધ્યાત્મિક પરિણામ તે આવે જ છે. ભગવાનનું તપ દ્વિમુખી છે. જે એને આચરનારમાં જીવનની કળા હોય તે તે મોટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી બસ છે. એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં કેવાં કેવાં પરિણામ આપ્યાં છે! કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ જન્માવી છે અને લેકમાનસમાં કેટલે પલટો આણ્યો છે ! તેમ છતાં તેમણે પિતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી; ઊલટું એમણે એ તપ અને પરિષહેની મદદથી જ પોતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે. એક જણ તપ અને પરિષહેથી આધ્યાત્મિક તેમ જ આધિભૌતિક બને પ્રકારનાં પરિણામે સાધે અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ–પરિષહની કે એના આચરનારની? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org