________________
-૪૪૪ ]
દર્શન અને ચિંતન " ઉત્પન્ન થયેલાં છે—જે કે એનો પ્રચાર અને પ્રભાવ તો એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલે છે. આર્યાવર્તન ત્યાગજીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતા. આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની અને વિકારેની શાંતિ. આર્ય ઋષિઓને મન લેશોને વિજયે એ જ મહાન વિજય હતું. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળાં પાડવા અને સમાધિના સંસ્કારે પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાવેગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમોને જ ગણે છે; તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદા જ્ઞાનગ સ્વકારે પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયા
ગ અને જ્ઞાનેગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ.
આ તે તપ અને પરિષહના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જેવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિષહે - સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે કલેશ-કંકાસ અને ઝઘડા-વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજને છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષને ઈતિહાસ લેશે તે તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ કલેશ કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યા એટલે જ કલેશ કંકાસ વળે, પણ એનું કારણ એ છે કે આપણે તપને ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાએ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એક પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં - શક્તિ નકામી ખર્ચ બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ.
જે વસ્તુ ચેથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમે આધ્યાત્મિક જીવનના પિષક હોય છે, તે જ નિયમે વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિષહે જો કલેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હેવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પિષણ થાય. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org