________________
તપ અને પરિવહ
[ ૪૪૩
તપને તે જૈન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહેની બાબતમાં તેમ નથી. અજેને માટે પરિષહ શબ્દ જરા નવા જેવું છે, પરંતુ એને અર્થ ન નથી. ઘર છોડી ભિક્ષુ બનેલાને પિતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરિષહ. જૈન આગમાં આવા પરિષદે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરિષહ ગણાવવામાં આવ્યા છે તે ત્યાગીજીવનને ઉદ્દેશીને જ. તપ અને પરિષહ એ બે જુદા દેખાય છે, એના ભેદો પણ જુદા છે, છતાં એકબીજાથી છૂટા ન પાડી શકાય એવા એ ફણગા છે.
વતનિયમ અને ચારિત્ર એ બંને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ, નણંદ અને ધણી સાથે હંમેશા ઝધડનાર વહુ, તેમ જ જૂઠું બોલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ઘણીવાર કઠણ વ્રતનિયમ આચરે છે. નેકનીતિથી સાદું અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કઈ કઈ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમોનું બંધન નથી હોતું. વ્રતનિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કાઈ ઘણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હોય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણનો યોગ એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ વેગ હોય તો જીવનનો વધારે અને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા ગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તે એમ કહે કે એ જ માણસ બીજાઓને દેરી શકે છે; જેમ મહાત્માજી. આ જ કારણથી ભગવાને તપ અને પરિષહમાં એ ત્રણે તત્વે સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યનો જીવનપથ લાંબે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે એય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે થેયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબત ઊભી થાય છે, એ માર્ગમાં અંદરના અને બહારના બને દુશ્મને હુમલે કરે છે, એને પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શક્ય નથી.. આ તન ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહેની એવી ગોઠવણ કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેનો સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પિતાના જીવનમાં શક્યા કરી બતાવ્યો.
મૂળમાં તે તપ અને પરિષહ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org