SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] દર્શન અને ચિંતન અને કઈ ખાખતા ખોટી સાબિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કાઈ ધાર્મિ ક શિક્ષણ લીધેલ વિદ્યાર્થી મોટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચામેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તેને પેલે ધાર્મિક અભ્યાસ દરમિયાન જ્ઞાનઅંકુશ ખટકે છે અને વગર સાચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તેા ઊલટા મૂર્ખ રહ્યા ! ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક મોટા દોષ શિક્ષણની શૈલીના છે. આજે મેટેભાગે અર્થહીન પાગાખવવામાં આવે છે, એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગાખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગેાખણપટ્ટીના ભારને લીધે મુઠ્ઠી થઈ જાય છે. અથ ન સમજાવાથી જ્ઞાનને! રસ આવતા નથી અને ગાખેલા શબ્દો કાળ જતાં ભુલાઈ જાય છે. મોટી ઉ ંમરે જ્યારે એવા વિદ્યાથી વિચાર અને કલ્પનાની કિંમત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગહતા જુએ છે ત્યારે એરગઝેબની પેઠે તે પેાતાના ધશિક્ષકાને ફ્રાંસી માક્ કરી શાપ તો આપેજ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધજીવી પાઠશાળાઓમાં તા વિદ્યાથીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું જગત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકા વાંચતાં પણ રાકવામાં આવે છે; એટલા કારણે કે એ જૈન ધાર્મિક પુસ્તક નથી. હું... કેટલાંય ધર્મપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમ જ સાધ્વીને જાણું છું કે જેઓને મન અમુક આચાર્યોએ અમુક ભાષામાં લખ્યું હોય તે સિવાયનું કશું પણ વાંચવા અને સાંભળવા તરફ્ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ઘણા મેલી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણે સત્યાનાશ વાહ્યું; એની શી જરૂર છે? અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધો લેનારા ઉપરના અનુભવ ખોટે છે એમ તેા ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિ ક શિક્ષણમાં સમાતી જાની માન્યતાઓ, જૂની પરપરા અને એ પ્રાચીન અનુભવા અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયાગી પણ છે, તો પછી ખીજા આગતુક દેષો, જે સમજ અને પ્રયનથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધુ' ફૅ'કી ા ન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલામાત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તે ન જ દેવાય. જેમ સૂપડું અને આંખ અનાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy