________________
ધાર્મિક શિક્ષણ
[ ૪૩૭ સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણદોષ પારખવા અને દોષ નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરેધી પક્ષની દલીલે તે એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરુચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ ક્યા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તા ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દષ્ટિએ આપવું તેનું ટૂંક સૂચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે.
શિક્ષણમાં પહેલી વાત દૃષ્ટિની ઉદારતાની છે. એટલે જે વિષય પર તે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષ્ય પર તે વિચાર છેવટને જ છે એમ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જે છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાનો અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવે જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પરત્વે બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કોષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણવાની તક રહેશે. પરિણામે સર્વજ્ઞપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતોમાં માત્ર એક વિચારને પૂર્વગ્રહ ન બંધાતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનમાં મળતાં બધાં જ મંતવ્ય સમતલપણે જાણું અને વિચારી શકાશે. દષ્ટિ ઉદાર થઈ એટલે તેને જ્ઞાનને દરવાજે પહોળો થયે, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જે દશવૈકાલિક શીખતે હશે તે તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મ પદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાને; અને જે તે વિદ્યાર્થી બ્રાહ્મણ હઈવેદ કે ઉપનિષદ શીખતે હશે તે તેની દૃષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે.
ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હેવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તે બુદ્ધિની સ્વતંત્રતા અને તને વધારેમાં વધારે છટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org