SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક શિક્ષણ [૪૩૫ એટલે જ્યારે ભણનારાઓમાંથી કેટલાક આગળ વધે છે અને વિચારશીલ થાય છે ત્યારે તેમને શરૂઆતમાં મળેલે દૃષ્ટિસંકોચનો વારસે યાદ આવે છે, અને તે વખતની વિચારસરણું સાથે તેમ જ અભ્યાસ સાથે એ ટૂંકી દૃષ્ટિનો મેળ ખાતે ન જોતાં એ શિક્ષિતગણ પિકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે. અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકે મોટેભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત. કોઈ જૈન વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ–ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમ જ સનારૂપાના પહાડોનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તે શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તે પણ એટલું તે જરૂર જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતે વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કઈ રડ્યાખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કોડ દે રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિએના ઉલ્લેખો જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓને ઉલ્લેખ કેમ નથી મળતું ? વળી, કોઈ વિદ્યાથી એમ તર્ક કરે કે પૂજામાં લેના ઢગલા કરે છે તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તે આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્ય કે સભાગે ઊઠયા તે તેવા તર્ક કરનારને મોટેભાગે નાસ્તિક અથવા દેઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાથીજીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળ જગાવે છે. ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવા હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પર તે આચાર્યના (પછી ભલે તે સેંકડે અને હજાર વર્ષ પહેલાં થઈ ગયા હેય) વિચાર સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શેધ થઈ છે, કયાં જૂનાં સત્યે વધારે સ્પષ્ટ થયાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy