________________
ધાર્મિક શિક્ષણ*
[૨૪]. જેમ ભૂગોળ, ખગોળાદિ વિદ્યાઓ છે તેમ ધાર્મિક શિક્ષણ પણ એક વિદ્યા છે કે નહિ ? અને તે વિદ્યા નથી એમ જે નથી કહી શકાતું તે એ જેવું રહે છે કે ધાર્મિક શિક્ષણમાં જાણવા જેવી, રસ પેદા કરે એવી અને માનવબુદ્ધિની ભૂખ જગાડી તેને સંતુષ્ટ કરે એવી મહત્વની બાબતે કઈ છે કે નહિ ? જે અનુભવીઓને ઉત્તર એ હેય (અને છે એમ મારે વિશ્વાસ છે) કે એવી બાબતો ધાર્મિક કહેવાતી વિદ્યામાં પુષ્કળ છે, તે પછી આજે એ પ્રશ્ન કેમ ઊભું થાય કે છાત્રાલય વગેરે સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ લેવું જોઈએ કે નહિ?
આ પ્રશ્ન થવાનાં ચાર મુખ્ય કારણ છેઃ (૧) દષ્ટિનું સંકુચિતપણું, (૨) બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્ક ઉપર અંકુશ, (૩) જ્ઞાન ઉપર અંકુશ અર્થાત નવી વિચારધારાઓ અને શોધ તરફ દુર્લક્ષ, (૪) શેલી દેષ.
ધાર્મિક શિક્ષણ આપવામાં દૃષ્ટિ ભારે સંકુચિત અને ટૂંકી રાખવામાં આવે છે. દા. ત. જૈન સમાજ, અને તેમાં પણ દિગંબર, ધાર્મિક શિક્ષણ આપે ત્યારે તેઓ એવી જ દૃષ્ટિ ધરાવતા હોય છે કે અમુક બાબત ઉપર દિગંબર શાસ્ત્રોમાં જે લખાયેલું છે તે છેલ્લામાં છેલ્લું એટલે કે સર્વ કથિત છે, હવે તેમાં વધારે જાણવા જેવું કે ઉમેરવા જેવું કશું નથી. તે બાબત પરત્વે અન્ય શાસ્ત્રો જે ભિન્ન મત દર્શાવતાં હોય તે તે તદ્દન અગ્રાહ્ય અને અપૂર્ણ છે. અને જે જૈન શાસ્ત્ર પ્રમાણે જ બીજાં શાસ્ત્રો પણ તે બાબત પર મત ધરાવતાં હોય તે તે વિચાર તેમણે જૈન શાસ્ત્રમાંથી લીધેલ છે. વળી તેઓ એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તે બાબત પરત્વે દિગંબર આચાર્યોએ લખ્યું છે તે જ યથાર્થ છે અને બીજા આચાર્યો યથાર્થ દષ્ટિ વિનાના હોવાથી અભ્રાંત વિચાર કરી શકે જ નહિ. ભણાવનારમાં આ દષ્ટિસંકુચિતતા હોય છે અને ભણનારમાં પછીથી એ દાખલ થાય છે, - આ ચર્ચા જન સમાજને લક્ષીને લખેલી છે પણ તે બધા ધાર્મિક સમાજોની શિક્ષણ પદ્ધતિને લાગુ પડે એ દૃષ્ટિએ જ વિચારાયેલી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org