________________
ત્રણે જૈન ફિરકાઓના મેળને વિચાર
[ ૪૩૩ ધર્મધ્વજોને બાજુએ મૂકી એકરસ થવા લાગશે અને દિગંબર શ્રીમાન શ્વેતાંબર વિદ્યાર્થીઓને અને શ્વેતાંબર ગૃહસ્થ દિગંબર સંસ્થાઓને મદદગાર થતા દેખાશે, બધા સંયુક્ત કે સહકારના ધોરણ ઉપર સંસ્થા ચલાવશે, ત્યારે ધર્મદૂત આપ આપ ખેંચાઈ તેમાં જોડાશે. તેમને એમ જ થવાનું કે હવે આપણે ભેદકમંત્ર નકામે છે.
સેંકડે અને હજારો વર્ષથી માંડીને તે ઠેઠ અત્યાર સુધીને ધર્મદૂતોને ઇતિહાસ એક જ વસ્તુ દર્શાવે છે અને તે એ કે તેમણે વિરોધ અને કડવાશ જ ફેલાવી છે. આપણે અજ્ઞાનથી તેને વશ થયા. હવે જુગ બદલાયો છે. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ આ વસ્તુ ચલાવી શકે તેમ રહ્યું નથી. તેથી હવે દરેક જુવાન કે વૃદ્ધ, જેનામાં બુદ્ધિ અને સ્વતંત્રતાને છાંટે પણ હોય તે, પિતાથી બને ત્યાં અને બનતી રીતે, સાચા દિલથી અને બુદ્ધિપૂર્વક, બીજા ફિરકાને સહકાર સાધે. આજે એ જ વસ્તુ ધમ્ય થઈ પડી છે.
–પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org