________________
૪૩૨ ]
દર્શન અને ચિંતન રહ્યું છે તે કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજાં વિષની પેઠે. ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું; એટલે બધાં જ ક્ષેત્રમાં એ વિષ ફેલાયું.. આજે તો નછૂટકે ને લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ક્યાંઈક વ્યાપારી સંબંધ, ક્યાંઈક લગ્નસંબંધ અને ક્યાંઈક રાજકીય સંબંધ. પરંતુ એ સંમેલન નથી તે વ્યાપક અને નથી તે બુદ્ધિપૂર્વકનું, તેમ જ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સંમેલન પણ ગૃહસ્થમાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થને જ મળવાની ફરજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુરુઓને કે પંડિત ઉપદેશકોને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસંગ લગ્નાદિને. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતેનું તે સ્વમ પણ નથી, એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન કે સંગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એકેય નથી; અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલું કારણભૂત છે જોઈએ અને થઈ શકે તે જ ધમેં તેમને ઊલટા હમેશને માટે દૂર કર્યા છે. એક બાજુ વ્યાવહારિક જરૂરિયાતોને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થો અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાનો વિચાર કરે, ત્યાં તો બીજી બાજુ પેલે ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધર્મનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકાઓ નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સંગઠિત. આ સ્થિતિ લગભગ ગામેગામ છે. ત્યારે હવે શું કરવું જોઈએ ?
ઉત્તર ટ્રક અને સીધો છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મમાંથી એ સફળ થવાનો સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાનો મેળ સાધવા-વધારવા અને સંગઠન કરવા માટે બે જ રસ્તા બાકી રહે છે. પહેલો એ કે નિર્ભય અને સ્વતંત્રબુદ્ધિવાળી વ્યક્તિઓએ (તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધર્મનાં સૂત્રે હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશને મેલ ચક્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ બધી કોમમાં વધારેમાં વધારે મેળ સાધવો. અને બીજો માર્ગ, પરંતુ છેવટને માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થાએ આ નવા ધર્મને જ એટલે કે વિકૃત અને સાંકડા ધર્મને શરણે જવું છોડી અને જાણે કે ધર્મને વારસ ન મળ્યો હોય એવી રીતનું મનને ઘડી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવું, અને બુદ્ધિપૂર્વક તથા અગત્યનું સંગઠન કરવું, જેમાં ઈચ્છા પ્રમાણે એક ફિરકાના ગૃહસ્થ બીજા ફિરકાના ગૃહ સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org