________________
ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળના વિચાર
[ ૨૩ ]
સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હાવાનાં ઐતિહાસિક પ્રમાણા છે. એ પાર્શ્વનાથની પર પરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાના પ્રાણ ફૂંકયો. પાર્શ્વનાથની પરંપરાના ઘણા નબળા અને સબળા અશા એ સુધારાને શરણે આવ્યા. જે એને વશ ન થયા તે લાંખા વખત ન નભ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવા સુધારા એ એમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનુ મૂળ એ શાસનમાં છે.
ગા
એક ખીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફૂટે છે અને આગળ જતાં ડાળા, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જો એક ખીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તેા વડ જેવું મોટુ ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ–પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનના વિસ્તાર થવાનુ નિર્માયું હતું, એટલે ભેદ્દા પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરપરામાં પણ ભેદો પડ્યા; એ વધ્યા. જૈન પર પરાને ઇતિહાસ આપણને કહે છે કે એ ભેદે પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તા આજે નામ પણ નથી રહ્યાં,. અને જેનાં નામ વગેરે રહ્યાં છે તેને પણ પૂરા ઇતિહાસ આપણી પાસે નથી.
આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જોતાં એક એક ફ્રિકામાં આજે પણ પુષ્કળ ગચ્છ, સધાડા આદિ ભેદ્ય છે. એ પેટા ભેદો વચ્ચે પણ ધણીવાર તે મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે. તેટલું જ અંતર હેાય છે. દિગંબર તેરાપંથી કે દિગ ંબર વીસપંથી લા, સ્થાનકવાસી તેરાપંથી કે ખીજા સ્થાનકવાસી લે, શ્વેતાંબર અચળગચ્છી, પાયચ‘ગચ્છી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org