SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ] દર્શન અને ચિંતન વામાં પણ દુ:ખ તેા થાય છે; છતાં તેને તાણી કાઢતાં જે દુ:ખ થવાનુ તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણ ગણાશે? એ જ રીતે જૈનપણાની ભાવનામાં જે અભિમાનને કે મમતામમતીને કાંટા ભેાંકાયા છે અને એને લીધે બન્ને પક્ષા જે રીતે દુભાય છે તે દુઃખ શું ચાલુ રાખવું ? કે પછી એ હની મમતાના કાંટાને કાઢવા જતાં થનારું દુઃખ સહી લેવું ? આને જે ઉત્તર તે જ તીની પ્રતિષ્ઠાના માર્ગ છે. આ તા એક રીતે પ્રતિષ્ઠા સાચવવાના વિચાર થયા. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ધડાયેલી હાવાથી તેને માટે પ્રથમ રસ્તા આધ્યાત્મિક હોય તે જ સૂચવવા યાગ્ય છે. જ પરંતુ તીર્થીની પ્રતિષ્ટા સાચવવાના અને વધારવાના સમયાનુકૂળ મા વ્યવહાર દૃષ્ટિએ બીજો પણ છે, અને તે એ કે જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં બધાં જ તીર્થં સ્થાનામાં વિદ્યાધામેા ઊભાં કરવાં. મકાન તો ત્યાં હાય જ; છેવટે મદિરા તે હાય જ, અને મદિરાના અમુક ભાગ વિદ્યા જેવા પવિત્ર તત્ત્વના સેવનમાં વપરાય તેથી વધારે રૂડું શું હેાઈ શકે? ક્રાંતિનાં પરદેશી ખળેા કરજ પાડે અગર તલવાર કે કાયદાની કલમ દબાણ કરે તે પહેલાં સમયને સમજ નાર પેાતાનાં જ તીર્થોને કે મદિરાને સમાજનાં વિદ્યાધામા બનાવી દે તે કેટલું સુંદર ! કાઈ એમ કહે કે ધ સ્થાનેામાં અર્થ કરી વિદ્યા કેમ શિખવાડાય ? એને એક સીધા અને ટૂંકા ઉત્તર એ છે કે ભલે અથ કરી વિદ્યા ન શીખવા, તાપણુ તમે જેને ધકરી અને શાસ્ત્રીય વિદ્યા માનતા હૈ! તે તે શીખવા ? જો એમ કહેવામાં આવે કે આજે શાસ્ત્રીય વિદ્યા લેનાર કથાં છે ? તે એને અર્થ એ થયો કે શાસ્ત્રીય વિદ્યા લોકમાન્ય નથી અને . જે લોકગ્રાહ્ય છે તે શીખવી શકાય તેમ નથી; એટલે સમાજ વિદ્યાહીન રહે તો કાંઇ અડચણ નથી. ખરી વાત તો એ છે કે આજે જે આપણી હિમુ`ખ વૃત્તિ મકાનો, શણગારા અને દેખાવા પાછળ જ માત્ર વળેલી છે તે તરફથી લક્ષ ખસેડવુ જોઈએ; અને તે એ રીતે ખસેડી શકાય: આધ્યાત્મિક પ્રદેશમાં જઈ ને અને વિદ્યાના પ્રદેશમાં જઈને. બીજો માગ સગ્રાહ્ય અને જરૂરી છે, અને તેમાંથી કયારેક પહેલા માતા સંભવ પણ છે. જે પુષ્કળ ધન, સમય અને અપાર બુદ્ધિશક્તિ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા ખાતર ખરચાય છે ( અને છતાં નથી. સચવાતી પ્રતિષ્ઠા કે નથી વધતું સામાજિક બળ ) તે જ ધન, સમય અને શક્તિ જો તીથો દ્વારા વિદ્યાની વૃદ્ધિ કરવામાં ખરચવામાં આવે તે પરિણામે સમાજ સબળ અને અને તીથોની પ્રતિષ્ઠા એક અથવા બીજી રીતે સચવાય. —પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy