________________
તીથેોની પ્રતિષ્ઠા કેમ સચવાય ?
[ ૨૨ ]
જૈન તીર્થીની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એને પ્રાણ કે આત્મા પણ એ જ છે. જૈન તીર્થોમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ચડિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવના અને મહેલો હિંદુસ્તાનમાં અને દુનિયાના બીજા ભાગેામાં કાંઈ એછાં નથી, તેમ જ જૈન મંદિરામાં અને જૈન ભડારામાં હોય તે કરતાં લાખા અને કરાડે ગણું ધન કાઈ એકાદ જગ્યાએ જ આજે મેાજૂદ છે; છતાં કાઈ પણ જૈન એ ખજાના અને એ મહેલેામાં તી બુદ્ધિ નથી ધરાવતા, ધર્મોબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતે. એનું કારણ શું છે ? આ પ્રશ્નને ઉત્તર દરેકને માટે સહેલા છે, અને તે એ કે એ મહેલ અને ભડારેની વિભૂતિ કાંઈ તી નથી. તીને આત્મા । તપ, ત્યાગ, અને અધ્યાત્મચિંતનમાં છે. જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણા ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિરે કે તેની કારીગરી એ તા માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલંકારો છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હાય છે અને ધરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હાય ત્યાં લગી જ, શરીરને શાભાવે છે. પ્રાણુ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હોય છતાં, નથી શેભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્પ્રાણ શરીર ઉપર અલંકારો લાદવા એ તેા એ શરીરની તેમ જ એને લાદનારની માત્ર મશ્કરી છે.
જૈન તીર્થોમાં આત્મા, શરીર, અને આભૂષણ એ ત્રણે મેાજૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હાય અને આત્મા સબળ હાય તા એ ઊણપ જરા પણ્ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હાય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષા છતાં એ બધું ફીકુ લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના આત્મા તીર્થોમાં કેમ નથી રહ્યો ? અથવા તો કેમ બાઈ અને કચરાઇ ગયા છે? એ પ્રશ્ન વિચારવા જેવા છે. જેમ જેમ ઊંડા વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org