________________
કરર 1.
દર્શન અને ચિંતન ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન આંદોલનમાં પોતાનું સ્થાન વિચારી અંદરોઅંદરના ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે અને સ્થળ ચિહ્નોમાં તેમજ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણામાંથી નહિ છૂટે તે બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ “આમિષદાવાદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે.
છેવટે દેશની મહેનત-મજૂરી અને ભક્તિ ઉપર છવતા પચાસ લાખ જેટલા બાવા, ફકીરે અને તેને પણ જરા કહી દઈએ. મહાસભા લાખ ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બિનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વિનાને હું જોઈએ. આ ગુણ ત્યાગીવર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે છે. જનતા એટલે તેમને ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે શાંત અને સુખી ગાદીઓ છોડી દે તે જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનાં તપ અને ત્યાગ હવે તેમના મઠમાં કચરાઈ ગયાં છે, નાશ પામ્યાં છે. હવે તે એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે. છે, એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તે, એ. વામનપણું પણ મરણને શરણ છે.
-પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૦..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org