________________
૪૨૪ ] .
દર્શન અને ચિંતન
સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને માવાનાં અને કચરાઈ જવાનાં મુખ્ય એ કારણા છેઃ (૧) અતિરેક, (૨) મમત્વ અનેકલેશ.
જ્યારે વૃત્તિ અંતર્મુખ હાય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તત્ત્વ જન્મે છે અને વિકસે છે. વૃત્તિ અહિર્મુખ થતાં એ તત્ત્વા એસરવા માંડે છે. એ તત્ત્વાના વારસા તા જૈન સમાજને વિચારમાં મળ્યો, પણ વખત જતાં એ સમાજ એની પૂજા-પ્રતિષ્ઠામાં પડી ગયા અને તેય પણ સ્થૂળ પૂજા–પ્રતિષ્ઠા. આ સ્થૂળ પૂજા—પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે અહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવુ વાતાવરણ ઊભું થઈ ગયું કે જ્યાં વધારે કીમતી, વધારે કળામય અને સમૃદ્ધ મદિરા તે તીથ ખીજા તીર્થો કરતાં વધારે માટુ. આ રીતે અહિર્મુખ વ્રુત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિના થોડાઘણા સંભવ હતા તે દબાઈ ગયા. પછી તે બાહ્ય દેખાવ તેમજ આદ્ય શણગારના એટલા બધા અતિરેક થઈ ગયા કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષા પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ઘસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થીની સાદગી અને સરળતા હણાઈ; તેમ જ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકના સંભવ હતા એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી ક્લેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાને સંભવ જ નથી એવી ખબહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હક્ક વિશે અને એવી ખીજી ક્ષુદ્ર ખાખતા વિશે ભક્તોમાં ભાગલા પડયા અને તાણાતાણી શરૂ થઈ. એ કજિયાળા શોકા વચ્ચે જેમ ઋણી કચરાય તેમ એ પક્ષાની તાણાતાણી વચ્ચે તીથ પણું જવા લાગ્યું. હવે જે તીપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તી પણું ચડસાચડીમાં, હારજીતમાં અને કુબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પેાતાની પાસે જ રહેલા તેમ જ કાઇથી છીનવી ન શકાય એવા તી પણા તરફ દુર્લક્ષ થતાં અને તી'પણાની છાયા પાછળ અગર તેા કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી.
તેથી દિગંબરાને હંમેશાં શ્વેતાંબરા દુશ્મન થઈ પડ્યા અને તે તેમને સ્વાર્થી તેમ જ નીચે જણાવા લાગ્યા. શ્વેતાંબરાને પણ દિગખરે વિશે એમ જ થયું. બન્ને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મડયા; છતાં એમાંથી એક્ય તીપણું સાચવી શકયા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં અને તીરક્ષા વિશે 'કાશીલ અને ભીરુ અતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org