SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેને ઉપગ 1 ૪૧૯ ઘેરઘેર સરલતાથી પહોંચી શકે એવી દારૂની પર અને એની સાથે -સાથે વધેલા વેશ્યાવાડાઓ દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને મેર નાશ થઈ રહ્યો છે, તો પછી આજની સાધુસંસ્થાને શો ઉપયોગ કરે એ પ્રશ્નનો નિકાલ તેઓ કરી શકશે. જેન સાધુઓને સખ વ્યસનનો ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હતું. એમની સામે આવનાર નાનકડાશા -વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્યક્ષેત્ર કાં તો પીઠા પાસે અને કાં તે પીનારાઓના લત્તાઓમાં ઊભું થાય છે. આજે દારૂનિષેધની પ્રવૃત્તિમાં જે લોકે કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુઓ વધારે સારી રીતે કામ કરી શકે એ દેખીતું છે. અલબત્ત, હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે કે સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય; એમાં સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઊભી થઈ છે. એ બધી અભ્યાસ કરવાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેમના ચહેરા તેજસ્વી બનશે. કેટલાક કહેશે કે–સાધુઓ પાસે કોઈ આવે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તે સાધુઓ ખુશીથી અને છૂટથી સમજાવે, પણ સાધુઓ, જે પિતાના શાંત ભવનમાં જ કામ કરતા આવ્યા છે તેઓ, પીઠે કે પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર ક્યાં જાય ? એ એમને ન શેભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઇતિહાસ જાણ્યું જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જૈન સાધુએ તે રાજસભામાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે તથા લશ્કરેની છાવણીઓમાં ગયા છે. સેંકડે સાધુઓ વ્યસનગ્રસ્ત લેકેની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ વિસ્તાર્યો છે. શક્તિ ન હૈવાનું, હિંમત ન હોવાનું કબૂલવું એ એક વાત છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઊભા થયેલાં બીજા કેટલાંય સાધુ-મર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ, તે પણ દારૂનિષેધની હિલચાલ એવી છે કે જે માટે પિતાના નૈતિક વારસાની દષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લૂણ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ. - કોઈ કહે છે કે આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે છે એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy