SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપગ [ ૪૧૭ એટલું લેકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એને નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનમાં છે. તેમની પાસે જનાર કુળધર્મી જેને જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે. જે લેકે માંસ ખાય છે અને દારૂ છેડી શકતા નથી, તેવાઓ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસનો ત્યાગ કરાવવાની અને કતલ થયેલ. હેરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરને ત્યાગ કરાવવાની ભારે જરૂર, ઊભી થઈ છે. આર્થિક અને નૈતિક બન્ને દષ્ટિએ દારૂના ત્યાગની જરૂર છે માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઊભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ બીજા સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આર્જન કરે છે અને કહે છે કે “તમે તમારું કામ સંભાળો. દારત્યાગ કરાવવા જેવી બાબતમાં તો અમારે વિચાર કરવાપણું હોય જ નહિ, એ તો તમારે. જીવનવ્યવસાય હતા અને તમારા પૂર્વજોએ એ વિશે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ઘણું છે. વખત, લાગવગ અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પૂરતાં સાધનો છે, એટલે તમે બીજું વધારે નહિ તે ફક્ત દારૂ નિષેધનું કામ તે સંભાળી લે.” આ મહાસભાની (આજ્ઞા કહે કે,. આમંત્રણ કહો) ઘેષણ છે. આ ઘોષણાનો ઉત્તર જૈન સાધુસંસ્થા શે આપે છે એના ઉપર જ એના તેજનો અને એના જીવનનો આધાર છે. ઘણું જૈન ભાઈબહેનો અને ઘણીવાર સાધુઓ પણ એમ કહે છે કે “આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. બીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનોએ જૈન ધર્મને આઘાત પહોંચાડ્યો છે, પણ આ અંગ્રેજી રાજ્યથી તે જૈન ધર્મને આઘાત પહોંચ્યો નથી; ઊલટું તેને રક્ષણ મળ્યું છે. લોકેની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરે વારસ તે એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતું, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ ભાત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગના હજારો વર્ષના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જે વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે કે તેમને જનતાગતા દારૂત્યાગને વારસો આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગે છે, તે પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે? મંદિર અને ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy