________________
૪૧૭ ]
દર્શન અને ચિંતન
અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે ! સીધી રીતે કાઈ અમલદાર કે કાયદો તમને નથી કહેતા કે તમે તમારાં જ મદિરા ઉપર હથોડા મારા, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનેાની મેહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મદિરા તાક્યા કરે અને અંદરોઅંદર લડ્યા કરો. કયારેક જીતથી હરખાઈ અને કયારેક હારથી નાખુશ થઈ હમેશાં તમે લડવાને તૈયાર રહે એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દોડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલાને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એકે કાય માં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હાય, તેમ તે આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પોતાની બધી જ શક્તિ ખેંચી રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટા સત્યના ઉપાસક પેદા થયા છે એમ તે વકીલા અને આગેવાન પૈસાદારા માટે છે, છતાં તકરારને ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કાઈ ને હાથે વધારે સારા થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષના તીર્થીની હારજીતનેા ઇતિહાસ જો આપણે વાંચીએ અને અત્યારે કયાં કયાં અને કેવી કેવી રીતે આવા ઝઘડા ચાલે છે, તે કાણુ ચલાવે છે, કેમ પાષાય છે અને એના મૂળ વાંધા શા છે એ જો જાણીએ તે આપણને આપણી મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનેા પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કાઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે એ છે કે ઝનૂની મુસલમાનેાના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમ્યાન આપણે આપણા હાથે જ તીરક્ષા નિમિત્તે તીના અને તેના ઉદ્દેશો વધારે ધ્વંસ કર્યો છે, અને હજી આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કયે જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણાં તીર્થો વધારે જોખમમાં છે.
આ તે ખરખાદીની વાત થઈ, પણ આ તીર્થ સંસ્થા મારફત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈ એ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જતી સંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજા તેવાં જ્ઞાતાની અનિવાર્ય જરૂર છે. કાઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org