________________
સાધુસ’સ્થા અને તી સંસ્થા તથા તેના ઉપયોગ
[ ૪૯
દુઃખ અને આધાત લેાકેા અનુભવે છે, અને એ દુઃખ અને આધાતમાંથી પાછા ફરી લડવા લેાકા લલચાય છે, નાણાં ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્ર સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક ળાઈ જાય છે. એ દળણુ —આટાને ફાયદો એમાંથી એકેને ભાગે નથી આવતા. એને પૂરો ફાયદો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉડાવે છે.
શકે અને ાના પછી મુસલમાને આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને દિશ ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ક્રમાને પણુ મેળવ્યાં અને કાંઈક કાંઈક પરાક્રમો પણ કર્યાં. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મદિરા સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કાઈ આપણાં મંદિર કે મૂર્તિએ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તેા આપણને લાગશે કે આપણાં તીથો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહાતાં. કાઈ ગિઝની, કાઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગઝેબ આવતા તો તે કાંઈ ચારે ખૂણે કરી નહાતા વળતા અને જ્યાં પહેાંચતા ત્યાં પણ કાંઈ ત્રણસો સાઠ દિવસ કુહાડાએ નહાતા ચલાવતા. વળી જે કુહાડા અને હથોડાએ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાન એ મૂર્તિ અને મદિરાને જલદી સમરાવી લેતા અને ક્રી એવા આધાતાથી બચવા કળ અને ખળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનેની વારવાર રાજ્યકર્તાઓ તરફથી ાણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તે! કાઈ મૂર્તિ કે મદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાએ અપી એ ખલ ઘેાડા તેમના આભાર માનીએ, પણ ખીજી રીતે એમણે રાજ્યતંત્રની ગોઠવણ જ એવી કરી છે કે તમે પોતાની મેળે જ પોતાનાં મૂતિ અને દિશ પર હથેાડાઓ ઠોકા, કુહાડા મારા અને માથાં પણ ફાડા. બહારા કાઇ તીર્થંભ જક ન આવે એવી વ્યવસ્થા તે સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાંચવવા ખાતર કરે જ છે, પણ તમે પોતે જ પોતાના તીભજક થા અને ધરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી અરબદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતત્રતામાં દૃખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભુ` કર્યું. છે કે તમે પાતે જ રાત અને દિવસ એકખીજાનાં મૂતિ અને મદિરા તાક્યા કરે અને કથા કરી કે આ રાજ્યતંત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org