________________
આજના સાધુએ નવીન માનસને દોરી શકે?
[૩૮૯ પ્રવાહ ચાલતો હોય છે. એમાં ઘણા ને વિવિધ વિષયોને એક નવી ઢબે ચર્ચતાં પુસ્તકોથી ઊભરાતી લાયબ્રેરીઓ વિદ્યમાન હોય છે.
આ ઉપરાંત બે મુદ્દા એવા છે કે જે સાધુ શિક્ષણ અને નવશિક્ષણ વચ્ચે ભારે દીવાલ હોવાની સાબિતી પૂરી પાડે છે. એક તે એ કે પંથ ને વાડામાં ઊછરેલું તેમ જ પિવાયેલું સાધુ-માનસ સ્વાભાવિક રીતે જ એવું બીકણ હોય છે કે તે, ભાગ્યજોગે કેઈ કાણું કે બકરાથી પ્રકાશ મેળવે તેય ખુલ્લંખુલ્લા પિતાની પરંપરા વિરુદ્ધ કશું જ ઉચ્ચારતાં મરણનું દુઃખ અનુભવે છે—જેવી રીતે જન્મથી પરદામાં પિષાયેલ સ્ત્રીમાનસ પ્રથમ ખુલ્લામાં પગ મૂકતાં, જ્યારે નવશિક્ષણ પામતે વિદ્યાથી એ ભયથી તદ્દન મુક્ત હોય છે. તે જે જાણે અગર માને છે તે બેધડક કહી શકે છે. તેને સાધુની પેઠે નથી ગૂંગળાવું પડતું કે નથી દંભ સેવ પડત.
બીજો મુદ્દો પણ ભારે અગત્યનું છે. તે એ કે નવશિક્ષણ પામતી આજની પ્રજાનાં તરુણ–તરુણીઓને માત્ર આ દેશનાં જ વિવિધ સ્થળે અને વિવિધ જાતિઓ વચ્ચે જવાની તક નથી, પણ તેઓને પરદેશના વિશાળ પ્રદેશને સ્પર્શવાની પણ તક સુલભ થઈ છે. સેંકડો યુવકે જ નહિ, પણ યુવતીઓ અને કુમારી સુધ્ધાં યુરોપ અને અમેરિકા ખંડમાં જાય છે. જેવાં તેઓ જહાજ ઉપર ચડી અનંત આકાશ અને અપાર સમુદ્ર તરફ નજર નાખે છે, તેવાં જ તેમનાં જન્મસિદ્ધ બંધ છેક નાબૂદ ન થાય તેય તદ્દન ઢીલાં થઈ જાય છે. પરદેશભ્રમણ અને પરજાતિઓના સહવાસથી તેમ જ વિદેશી શિક્ષણસંસ્થાઓ અને અભૂત પ્રયોગશાળાઓ તથા પુસ્તકાલયોના પરિચયથી તેમનું માનસ હજાર વર્ષની તીવ્રતમ ગ્રંથિઓને પણ ભેદવા મથે છે અને એમને બધું જ નવી દષ્ટિએ જોવા-વિચારવાની વૃત્તિ થઈ આવે છે.
આ રીતે આપણે જોયું કે જેઓને જૈન પ્રજા પિતાના ગુરુ તરીકે, પિતાના નાયક તરીકે અને પિતાને દોરનાર તરીકે માનતી આવી છે, તેમનું ભાનસ કઈ જાતનું સંભવિત છે અને હવે છેલ્લા કેટલાક દશકાઓ થયાં જે નવીન પેઢી નવશિક્ષણ ગ્રહણ કરી રહી છે અને જેને વાતે એ શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેનું માનસ કઈ રીતે ઘડાય છે? જે આ બે પ્રકારનાં માનસના ઘડતર પાછળનો ભૂંસી કે સાંધી ન શકાય એટલે મે ભેદ હોય તે અત્યારે જે ભૂકંપ સમાજમાં અનુભવાય છે તેને અસ્વાભાવિક કે માત્ર આગંતુક કે બુદ્ધિમાન કહેશે ? ત્યારે હવે આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org