________________
આજના સાધુઓ નવીન માનસને દોરી શકે?
[૩૮૭ બીજે માર્ગ દેખાતું જ નથી. તેમનો ઈતિહાસ એટલે જૈન સાહિત્યમાં દાખલ થયેલ કોઈ પણ ઘટના–પછી તે કાલ્પનિક વાત હોય, રૂપક હય, અગર પરાપૂર્વથી - ચાલ્યા આવતા કથાનકે હેય—એ બધું તેમને મન ઇતિહાસ અને સાચો ઇતિહાસ છે. તેમને શીખવાતી ભૂગોળ દશ્ય વિશ્વની પેલી પારથી શરૂ થાય છે. એમાં પ્રત્યક્ષ જોઈ શકાય, સ્વયં જઈ શકાય એવાં સ્થાન કરતાં મેટો - ભાગ કયારેય પણ આ જિંદગીમાં જઈ ને જોઈ ન શકાય એવાં સ્થાનોને આવે છે. એમની ભૂગોળમાં દેવાંગનાઓ છે, ઇન્દ્રાણુઓ છે અને પરમધાર્મિક નરકપાળે પણ છે. જે નદીઓ, જે સમુદ્રો અને જે પર્વતના પાઠ તેઓને શીખવાના હોય છે તે વિશે તેમની પાકી ખાતરી હોય છે કે જે કે અત્યારે તે અગમ્ય છે, છતાં એ છે તે વર્ણવ્યાં તેવાં જ. તત્વજ્ઞાન બે હજાર વર્ષ પહેલાં જે ઘડાયું તે જ અવિચ્છિન્ન રીતે અને પરિવર્તન સિવાય ચાલ્યું આવે છે એવા વિશ્વાસ સાથે જ તે શીખવવામાં આવે છે. છેલ્લાં બે હજાર વર્ષમાં આજુબાજુનાં બળેએ જૈન તત્વજ્ઞાનના પિષણ વાતે જે દલલે, જે શાસ્ત્રાર્થો જૈન સાહિત્યમાં દાખલ કર્યો છે તેનું ઋણ સ્વીકારવાની વાત તે બાજુએ રહી, પણ ઊલટું એ અભ્યાસી સાધુઓ એવા સંસ્કારથી પિોષાય છે કે અન્યત્ર જે કહ્યું છે તે તે માત્ર જૈન સાહિત્યસમુદ્રનાં બિંદુઓ છે. નવમા અને દશમા સૈકા સુધીમાં બૌદ્ધ વિદ્વાનોએ જે તાત્વિક ચર્ચાઓ કરી છે અને લગભગ તે જ સૈકાઓ સુધીમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તાત્વિક ચર્ચાઓ કરી છે તે જ વેતાંબર કે દિગંબરના તસ્વસાહિત્યમાં અક્ષરશઃ છે, પણ તે પછીની શતાબ્દીઓમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાન ખેડ્યું છે અને જેને અભ્યાસ સનાતન બ્રાહ્મણ પંડિતે આજ સુધી કરતા આવ્યા છે અને જૈન સાધુઓને પણ ભણાવતા આવ્યા છે, તે તત્ત્વજ્ઞાનના વિકાસથી, એક યશવિજયજીના અપવાદ સિવાય, બધા જ જૈન આચાર્યોનું સાહિત્ય વંચિત હોવા છતાં જૈન તત્વજ્ઞાનના અભ્યાસી સાધુઓ એમ માનતા હોય છે કે તેઓ જે તત્ત્વજ્ઞાન શીખે છે તેમાં ભારતીય વિકસિત તત્ત્વજ્ઞાનને કોઈ પણ અંશ બાકી રહી જતો નથી! ભારતીય દાર્શનિક સંસ્કૃતિના પ્રાણભૂત પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા–બન્ને દર્શનના પ્રામાણિક થડા પણ અભ્યાસ સિવાય જૈન સાધુ પિતાના તત્વજ્ઞાનને પૂરેપૂરું માનતે હોય છે. ભાષાં, વ્યાકરણ, કાવ્ય, કેષ એ પણ એમના શીખવાના વિષય છેપણ તેમાં કોઈ નવા યુગનું તત્ત્વ દાખલ જ નથી થયું. ટૂંકમાં, જૈન સાધુઓની શિક્ષણપ્રણાલીમાં જેકે અનેકાંતવાદનું વિષય તરીકે સ્થાન હોય છે, છતાં એ પ્રણાલીમાં અનેકાંતની દૃષ્ટિ જીવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org