________________
૩૮૬ ]
દશન અને ચિંતન સને માત્ર શિક્ષણ વડેજ થોડા વખતમાં આધુનિક જેવું ઘડી શકાય. સાધુવર્ગ શિક્ષણ મેળવે છે તે એક પ્રકારનું છે અને અત્યારને તેમના જ પટ્ટધર ભક્ત શ્રાવકને સંતતિવર્ગ જે શિક્ષણ મેળવે છે તે તદ્દન જુદા પ્રકારનું છે. આ એકબીજાથી તદ્દન સામે જતા શિક્ષણના બે પ્રકારેએ જ જૈન સમાજમાં પ્રથમ નહિ એવાં બે ભાનસ ઘડ્યાં છે, અને તે જ એકબીજા ઉપર સરસાઈ મેળવવા સમાજના અખાડામાં કુસ્તી કરવા આકર્ષક રીતે ઊતરી પડ્યા છે. આપણે એ પરસ્પરવિધી બને માનને ઘડનાર શિક્ષણ, તેના વિષયો અને તેની પ્રણાલિકા વિશે કાંઈક જાણીએ તે આપણને ખાતરી થઈ જવાની કે અત્યારે જે માનસિક ભૂકંપ આવ્યો છે તે સ્વાભાવિક અને અનિવાર્ય છે. સાધુઓ શીખે છે, આખી જિંદગી ભણનાર પણ સાધુઓ પડ્યા છે. તેમના શિક્ષકે કાં તે તેમના જેવું જ માનસ ધરાવનાર સાધુઓ હોય છે અને કાં તે મોટે ભાગે પતિ હોય છે કે જે પંડિત વીસમી સદીમાં જન્મવા અને જીવવા છતાં બારમી કે સોળમી સદીથી ભાગ્યે જ
આગળ વધેલા હોય છે. શિક્ષણુના વિષે ને તેની પ્રણાલિકા
સાધુઓના શિક્ષણને મુખ્ય વિષય–જે સૌથી પહેલાં તેમને શીખવવામાં આવે છે તે–ક્રિયાકાંડને લગતાં સૂત્રો છે. આ સૂત્રે શીખતી અને શીખવતી વખતે એક જ દષ્ટિ હોય છે કે તે ભગવાન મહાવીરનાં રચેલાં છે, અગર તે પાછળનાં છતાં એવાં ધ્રુવ છે કે જેમાં ઉત્પાદ અને વ્યયને જૈન સિદ્ધાંત પણ ગૌણ થઈ જાય છે. વળી એ ક્રિયાકાંડી શિક્ષણ ઉપર એવી સર્વશ્રેષ્ઠતાની છાપ શ્રદ્ધાના હથોડા મારીમારી પાડવામાં આવે છે કે શીખનાર, જૈન સિવાયનાં બીજાં કઈ પણ ક્રિયાકાંડને તુચ્છ અને ભ્રામક માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ તે પોતાના નાનકડાશા ગ૭ સિવાયના બીજા સદર પડોશી અને સદાસાથી ગચ્છનાં વિધિવિધાનને પણ અશાસ્ત્રીય લેખતા થઈ જાય છે.
સાધુઓના શિક્ષણનો બીજો વિષય ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેઓ ધર્મના મથાળા નીચે જે જે શીખે છે તે બધામાં તેમની એક દષ્ટિ આદિથી અંત સુધી મક્કમ રીતે એવી પિષાય છે કે તે શિખવા ધર્મ પૂર્ણ છે, તેમાં કાંઈ વધારવા-ઘટાડવા જેવું છે જ નહિ અને એ ધમની શ્રેષ્ઠતા વિશે તેમના મનમાં એવા સંસ્કાર પાડવામાં આવે છે કે જ્યાંલગી તેઓ બીજા ધર્મની ત્રુટિઓ ન જુએ અને ઇતર ધર્મોની ખામીઓ ન બતાવે ત્યાં લગી તેમને પોતાના ધર્મની શ્રેષ્ઠતાની ખાતરી કરાવવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org