SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આજના સાધુઓ નવીન માનસને દેરી શકે? [૩૮૫ સાધુપદે પહોંચ્યા પછી જ. હરિભ ને હેમચંદ્ર નવનવ સાહિત્યથી ભંડાર ભર્યો ખરા, પણ સાધુઓની નિશાળમાં દાખલ થયા પછી. યશોવિજયજીએ જન સાહિત્યને નવું જીવન આપ્યું ખરું, પણ તે સાધુ અભ્યાસી તરીકે. આપણે એ જુના જમાનામાં કોઈ ગૃહસ્થને પ્રસિદ્ધ વિદ્વાન જૈન સાધુ જેટલે સમર્થ વિદ્વાન નથી જોતા. તેનું શું કારણ? અસાધારણ પાંડિત્ય અને વિદ્વતા ધરાવનાર શંકરાચાર્ય અને બીજા સંન્યાસીઓના સમયમાં જ અને તેમની જ સામે તેમનાથી પણ ચડે એવા ગૃહસ્થ બ્રાહ્મણ પંડિત વૈદિક સમાજમાં પાક્યાને ઈતિહાસ જાણીતું છે, જ્યારે પ્રસિદ્ધ જૈન વિદ્વાન સાધુ કે આચાર્યની તેલે વિદ્વત્તાની દષ્ટિએ આવી શકે એ એક પણ ગૃહસ્થ શ્રાવક જૈન ઇતિહાસે નથી પકવ્યું. તેનું શું છે કારણ છે કે ગૃહસ્થ બ્રાહ્મણમાં હોય તેવી બુદ્ધિ શ્રાવકમાં ન જ સંભવે ? અથવા શું એ કારણ છે કે જ્યાં લગી શ્રાવક ગૃહસ્થ હેય ત્યાં લગી એનામાં એ જાતની બુદ્ધિ સંભવિત જ નથી, પણ જ્યારે તે સાધુવેશ ધારણ કરે છે ત્યારે જ એનામાં એકાએક એવી બુદ્ધિ ફાટી નીકળે છે? ના, એવું કાંઈ નથી. ખરું કારણ એ છે કે ગૃહસ્થ શ્રાવક કેળવણી અને સંસ્કારના ક્ષેત્રમાં સાધુઓના ક્લાસમાં સમાન દરજજે શીખવા દાખલ જ નથી થયો. એણે પૂરેપૂરે એ વખત પતિવ્રતા ધર્મ પાળી ભક્તિની લાજ રાખી છે, અને સાધુઓની પ્રતિષ્ઠા એકધારી પિષી છે! તેથી એક અને સમાન કલાસમાં ભણતા સાધુ સાધુઓ ગચ્છભેદ કે ક્રિયાકાંડભેદ કે પદવી મેહને લીધે જ્યારે લડતા ત્યારે ગહસ્થ એક અગર બીજા પક્ષને વફાદારીથી અનુસરતા, પણ સીધી રીતે કોઈ ગૃહસ્થને કોઈ સાધુ સામે લડવાપણું, મતભેદ કે વિરોધ જેવું રહેતું જ નહિ. આ જ સબબને લીધે આપણે જૂનો ઈતિહાસ, ગૃહસ્થ અને ત્યાગીને કેળવણી કે સંસ્કાર વિષયક આંતરવિગ્રહથી નથી રંગાયે. એ કેરું પાનું ચીતરવાનું કામ યુરેપના શિક્ષણે હવે શરૂ કર્યું છે. આંતરવિગ્રહ - સાધુઓ અને નવશિક્ષણ પામેલા તેમ જ પામતા વર્ગના માનસ વચ્ચે આટલે બધે આંતરવિગ્રહકારી ભેદ કેમ છે, એ ભેદ શેમાંથી જન્મે છે, એ બીન સર્વવિદિત છતાં જાણવી બહુ જ જરૂરી તેમ જ મને રંજક પણ છે. માનસ એ શિક્ષણથી જ અને શિક્ષણ પ્રમાણે ઘડાય છે. અન્ન તેવું મન એ સિદ્ધાન્ત કરતાં વધારે વ્યાપક અને સૂક્ષ્મ સિદ્ધાન્ત તે એ છે કે શિક્ષણ તેવું મન. વીસમી શતાબ્દીમાં શિક્ષણ વડે, માત્ર ઘટતા શિક્ષણ વડે, હજારે વર્ષ પહેલાંનું માનસ ઘડી શકાય. હજારે વર્ષ થયાં ચાલ્યા આવતા જંગલી માન ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy