________________
૨૮૪]
દર્શન અને ચિંતન કે અત્યારે જે અથડામણું સાધુઓ અને નવીન પ્રજા વચ્ચે દેખાય છે તેવી. કઈ પણ જાતની અથડામણું અત્યાર અગાઉ સાધુ અને ગૃહસ્થો વચ્ચે, ખાસ કરી કેળવણી અને સંસ્કારની બાબતમાં, ઊભી થયેલી ખરી? ઈતિહાસ કહે. છે કે નહિ. શ્વેતાંબર સમાજમાં ભગવાન મહાવીર પછી અત્યાર લગીના ઇતિહાસમાં અનેક તકરારે, કલહો અને અથડામણીએ થયાનાં પ્રમાણે મળે છે, પણ એ અથડામણીઓ જ્યારે ધાર્મિક હતી ત્યારે તેની બન્ને બાજુના વિરોધી સૂત્રધારે માત્ર સાધુઓ જ રહેતા. સાધુઓ પૂર્ણ અહિંસક હોઈ હિંસાયુદ્ધ સીધી રીતે ખેલી ન શકે, એટલે દરવણનાં સૂત્ર હાથમાં રાખી પિતપોતાના ગચ્છની છાવણીઓમાં દાખલ થયેલ શ્રાવક સિપાઈઓ વાટે જ લડતા; અને એટલું બધું કૌશલપૂર્વક લડતા કે લડવાની ભૂખ પણ સૌની અમે અને અહિંસા પણ સચવાઈ કહેવાય. એ રીતે જૂના ઈતિહાસમાં શ્રાવકે શ્રાવકે વચ્ચેની ધાર્મિક લડાઈ પણ ખરી રીતે સાધુઓ સાધુઓ વચ્ચેની જ લડાઈ હતી. પણ આપણે જૂના ઈતિહાસમાં આજના જેવો એક પણ દાખલ નહિ જોઈ શકીએ કે જેમાં સીધી રીતે સાધુઓ અને શ્રાવકો વચ્ચે જ લડાઈ લડાયેલી હોય. આનાં કારણોમાં ઊતરવું એ બહુ રસપ્રદ છે અને તે ઉપરથી વર્તમાન પરિસ્થિતિ સમજવામાં ભારે મદદ પણ મળે તેમ છે.
સાધુઓનું દષ્ટિબિંદુ
જૂના વખતમાં કેળવણીનું ધોરણ સાધુઓ અને શ્રાવકે વચ્ચે આજના જેવું ભિન્ન ન હતું. ગૃહસ્થ વ્યાપારધંધા કે વ્યવહારની બાબતમાં ગમે તેટલું પાવરધા પણું મેળવે તેય ધાર્મિક શિક્ષણની બાબતમાં તેઓ સાધુઓને જ અનુસરતા. સાધુઓનું દૃષ્ટિબિંદુ એ જ ગૃહસ્થનું દૃષ્ટિબિંદુ સાધુઓનાં શાસ્ત્રો એ જ ગૃહસ્થોનાં અંતિમ પ્રમાણે અને સાધુઓ દ્વારા દર્શાવાતા શીખવવાના વિષયો એજ ગૃહસ્થના પણ અભ્યાસના વિષયો, તેમ જ સાધુઓએ પૂરા પાડેલાં પુસ્તકે એ જ ગૃહસ્થની વાચનમાળા અને લાયબ્રેરીએ. એટલે કેળવણી અને સંસ્કારની દરેક બાબતમાં ગૃહસ્થને સાધુઓનું જ અનુકરણ કરવાનું હોવાથી તેમને ધર્મ હિન્દુસ્તાનની પતિવ્રતા નારીની પેઠે સાધુઓના પગલે પગલે જવા-આવવાને હતે. પતિનું તેજ એ જ પિતાનું તેજ એવી પતિવ્રતા સ્ત્રીની વ્યાખ્યા છે. તેથી એને સ્વતંત્ર પુરુષાર્થ કરવાપણું ભાગ્યે જ રહે છે. જૈન ગૃહસ્થોની પણ શિક્ષણ અને સંસ્કારિતાની બાબતમાં એ જ સ્થિતિ રહી છે. સિદ્ધસેન અને સમતભદ્ર તાર્કિક ખરા, પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org