SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ - આજના સાધુએ નવીન માનસને દેરી શકે? [ ૩૮૩ સાધુ સમાજમાં ભણતી જતા જૈન સમાજમાં પણ આવા કડાકા મુખ્યપણે શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં જ સંભળાય છે. દિગંબર સમાજમાં તેમના સદ્ભાગ્યે સાધુઓ રહ્યા જ ન હતા. અલબત્ત તે સમાજમાં હમણાં હમણું થડા નગ્ન સાધુઓ નવા થયા છે જે જૂની ઘરેડના જ છે; તેમ જ એ સમાજમાં અતિ સાંકડા મનને પંડિત, બ્રહ્મચારી અને વણવર્ગ પણ છે. એ બધા દિગંબર નવપ્રજાને નવશિક્ષણ, નવવિચાર અને વિચારસ્વતંત્રતામાં ભારે આડા આવે છે. એક રીતે તેઓ પણ પિતાના સમાજમાં મંદ ગતિએ પ્રવેશ પામતા પ્રકાશને રેધવા પિતાથી બનતું બધું કરે છે. તેને લઈને એ સમાજમાં પણ જડતા અને વિચાર વચ્ચે મહાભારત ચાલે છે. છતાં શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં સાધુઓનો જેટલે પ્રભાવ છે અગર જેટલે અનધિકાર હસ્તક્ષેપ છે તેમ જ જેટલું ગૃહસ્થ–સાધુઓ વચ્ચે તાદામ્ય છે તેટલું દિગંબર સમાજમાં પંડિતવર્ગ અને સાધુઓ વચ્ચે ન હોવાથી શ્વેતાંબર સમાજને ક્ષોભ એ દિગબર સમાજના ક્ષોભ કરતાં ઘણી રીતે વધારે ધ્યાન ખેંચે તેવો છે. સ્થાનિક વાસી સમાજમાં તે સામાન્ય રીતે આવા ક્ષોભના પ્રસંગે જ ઊભા નથી થતા. તેનું કારણ સ્પષ્ટ છે. તે એ કે એ સમાજમાં શ્રાવકે ઉપર સાધુઓને પ્રભાવ વ્યવહારક્ષેત્રમાં હાથ નાખવા પૂરત છે જ નહિ. ગૃહસ્થો સાધુઓને માને, વંદે, પિષે એટલું જ; પણ સાધુઓ ગૃહસ્થની પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે ભાગ લેતા માલુમ પડે તો તેઓને સાધુ તરીકે જીવવું જ ભારે પડી જાય. અલબત્ત, શ્વેતાંબર સાધુઓએ ગૃહસ્થજીવનના વિકાસ વાતે જે કંઈ કર્યું છે તેનો શતાંશ પણ સ્થાનકવાસી સાધુઓએ નથી કર્યો, છતાં એ પણ ખરું કે તેઓએ શ્વેતાંબર સાધુઓની પેઠે ગૃહસ્થના જીવનવિકાસમાં અંતરાયના પહાડે નથી ઊભા કર્યા કે નથી એમાં રેડાં નાંખ્યાં. ખરી રીતે સ્થાનકવાસી સમાજમાં પણ જૂના અને નવા માનસ વચ્ચે અથડામણી છે, પણ તે અથડામણનાં મૂળ સૂત્રે સાધુઓના હાથમાં નથી. તેથી જ એમની એ અથડામણું લાબો વખત નથી ચાલતી કે ઉગ્ર રૂપ ધારણ નથી કરતી. એને નિકાલ આપોઆપ, બાપબેટા વચ્ચે, માદીકરી વચ્ચે અને ભાઈ ભાઈ વચ્ચે આવે છે તેમ, આવી જાય છે; જ્યારે શ્વેતાંબર સમાજમાં આવો નિકાલ સાધુઓ અશક્ય કરી મૂકે છે. સાધુઓ અને ધાર્મિક તકરારે હવે આપણે સહજ પાક્લી શતાબ્દીઓ તરફ વળીએ અને જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy