SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨] દર્શન અને ચિંતન હવે આપણે જૈન સમાજ તરફ વળીએ. છેલ્લાં પચાસેક વર્ષ થયાં જૈન સમાજમાં નવ શિક્ષણનો સંચાર ધીરે ધીરે શરૂ થયો. આ સંચાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ પ્રત્યાઘાતી બળે આગળ આવવા લાગ્યાં. જૈન સમાજના નવા માનસ સાથે જૂના માનસની અથડામણ થવા લાગી. એ ઘટના તે આખી દુનિયાના સાધારણ નિયમ પ્રમાણે જ હતી, તેથી તેમાં કાંઈ નવાઈ પામવા જેવું ન જ હોય. પણ અહીં જૈન સમાજની એક ખાસ પ્રકૃતિ વિચારવા જેવી છે. તે એ કે જ્યારે આપણે જન સમાજનું જૂનું માનસ એમ કહીએ છીએ, ત્યારે સાધુઓનું માનસ એટલું જ ખરી રીતે સમજવું જોઈએ. બેશક કટ્ટર સ્વભાવના અને દુરાગ્રહી જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષા હતાં અને આજે પણ છે, છતાં જૈન સમાજનું સુક્ષ્મ નિરીક્ષણ કરનાર વાસ્તે એ વાત ભાગ્યે જ અજાણ હશે કે જેન ગૃહસ્થ સ્ત્રીપુરુષોની દોરવણીનાં સૂત્ર ખરી રીતે સાધુઓના જ હાથમાં રહેલાં છે. આને અર્થ એ નહિ કે તમામ ગૃહસ્થવર્ગે કોઈ એક ક્ષણે પિતાનું નેતૃત્વ સાધુવર્ગને આપી દીધું છે, પણ આને અર્થ એટલે જ છે કે જૂની પરંપરા પ્રમાણે એમ મનાતું આવેલું છે કે ભણતર અને ત્યાગમાં તો સાધુઓ જ વધે. ગૃહસ્થ ભણે તેય ધંધા પૂરતું. બધા વિષયોનું અને બધી બાજુથી જ્ઞાન તો સાધુઓમાં જ સંભવે. ત્યાગ તે સાધુઓનું જીવન જ રહ્યું. આવી પરંપરાગત શ્રદ્ધાને લીધે જાણે કે અજાણે ગૃહસ્થવર્ગ સાધુઓના કથનથી દોરવા આવ્યું છે અને વ્યાપારધંધા સિવાયના કોઈ પણ વિચારણીય પ્રદેશમાં સાધુઓ જ માત્ર વધારે સારી સલાહ આપી શકે એમ પરાપૂર્વથી મનાતું આવ્યું છે. એટલે જ્યારે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જૂનો ઘરે૫થી વર્ગ ક્ષોભ પામે કે અકળાય તે વખતે પણ સીધી કે આડકતરી રીતે સાધુઓનું માનસ જ એ ક્ષોભનું પ્રેરક નહિ તે પિષક હોય જ છે. જે એવા ક્ષોભને ટાણે કોઈ સમર્થ વિચારક સાધુઓ ઘરેડ૫થી શ્રાવકોને યોગ્ય સલાહ આપે તે તો ખાતરીથી એ ભ જલદી શમે. અજ્ઞાન, સંકુચિતતા, પ્રતિષ્ઠાભય કે બીજા ગમે તે કારણે સાધુઓ નવીન શિક્ષણ, નવીન પરિસ્થિતિ અને તેના બળનું મૂલ્ય આંકી નથી શકતા. તેને પરિણામે તેઓ નવીન પરિસ્થિતિને વિરોધ ન કરે તે જ્યારે ઉદાસીન રહે છે ત્યારે ઘરેડપંથી શ્રદ્ધાળુ શ્રાવકે એમ માની લે છે કે મહારાજ સાહેબ આવી બાબતમાં ચૂપ રહે છે, વાસ્તે આ નવીન પ્રકાશ કે નવીન પરિસ્થિતિ સમાજ વાસ્તે ઈષ્ટ ન જ હોવી જોઈએ. તેથી તેઓ વગર વિચાર્યું પણ પિતાની નવી પેઢી સામે થાય છે. એમાંય કઈ પ્રભાવશાળી સાધુઓ હાથે નાખે છે ત્યારે તો બળતામાં ઘી હોમાઈ એક હોળી પ્રગટી પ્રચંડ કડાકો તે સંભળાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy