________________
આજના સાધુઓ નવીન માનસને દોરી શકે?
[૩૮૧ આદિ નવનવ રૂપે પિતાને બંધબેસતા નવા ધર્મોની સ્થાપના કરી. એક તરફથી શિક્ષિત ગૃહસ્થવર્ગમાંથી જ પ્રજાના નવીન માનસને દેરે એ સમર્થ વર્ગ તૈયાર થતે ગયો ને બીજી બાજુ ત્યાગી ગણાતા સંન્યાસીવર્ગમાંથી પણ એ વર્ગ નીકળવા મંડ્યો કે જે પશ્ચિમનાં નવશિક્ષણનાં બળોને સમજ અને તેને પચાવવામાં જ પિતાની પ્રજાનું સુંદર ભાવી જોતે. સ્વામી વિવેકાનંદ અને રામતીર્થે નવશિક્ષણ પામેલા અને પામતા હિન્દુઓના. માનસને પારખ્યું અને તેને યોગ્ય દિશામાં સહાનુભૂતિપૂર્વક દોરવા પ્રામાણિક પણ બુદ્ધિસિદ્ધ પ્રયત્ન કર્યો. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જૂની ઘરેડના કટ્ટરનાં કટ્ટર લાખો સનાતન પંડિત મોજૂદ હોવા છતાં એ વિશાળ વૈદિક સમાજની નવી પેઢીને શિક્ષણમાં કે વિચારસ્વાતંત્રમાં કઈ બંધન આડે આવતું નથી. તેથી જ જ્યાં એક બાજુએ દશ હજાર જેટલા જૂના વૈદિક જમાનાની તરફેણ કરનાર ધરખમ સનાતની પંડિતે અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ વિદ્યાની દરેક શાખામાં તદ્દન નવીન ઢબે પારગામી થયેલા અને ખુલ્લંખુલ્લા જૂના જમાનાઓનાં બંધનોને વિરોધ કરતા હજારે નહિ પણ લાખો વિદ્વાનો નજરે પડે છે. કોઈ સનાતની પંડિત કે કઈ શંકરાચાર્ય, જગદીશચંદ્ર બોઝ કે સી. વી. રામનને એટલા માટે નથી વગેવતા કે તેમણે તેમના પૂર્વજોએ ન કરેલું કર્યું છે. કાલિદાસ અને માધના વંશજ મહાન સંસ્કૃત કવિઓએ ટાગોરના કવિત્વ સામે એટલા કારણસર રેષ નથી દાખવ્યો કે તેમણે વાલ્મીકિ અને વ્યાસના ચીલાથી જુદા પડી નવી રીતે પ્રસ્થાન કર્યું છે. ગીતાના ભાષ્ય રચનાર આચાર્યોના પટ્ટધરેએ ગાંધીજીને એટલા કારણસર ત્યાજ્ય નથી ગણ્યા કે તેમણે પૂર્વાચાર્યોએ ગીતામાંથી ફલિત નહિ કરેલ અહિંસાને ગીતામાંથી જ રાજમાર્ગ તરીકે ફલિત કરી છે. દલપત કવિના કદ્દર ભકતએ કવિના જ પુત્ર ન્હાનાલાલને તેમના પિતાના પિતા કરતાં નવે રસ્તે વિચરવાને કારણે અવગણ્યા હેત કે ગૂંગળાવ્યા હોત તો ગુજરાતને અગર હિન્દુસ્તાનને હાનાલાલ ધરાવવાનું જે આજે ગૌરવ પ્રાપ્ત છે તે હોત ખરું?કઈ ભાર્ગવ, પછી તે ગમે તેટલે ધાર્મિક કે ઝનૂની હોય તો પણ, મુનશીની પ્રતિભા સામે થાય છે ખરે? આ ટૂંક અવકન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ હિન્દુ સમાજમાં અતિ સંકુચિત અને વહેમી બીકણ માનસ ધરાવનાર કરેડની સંખ્યામાં હોવા છતાં એ જ સમાજમાંથી આખી દુનિયાનું ધ્યાન ખેંચે એવા અને માન પામે એવા અસાધારણ પુરુષો અને સ્ત્રીઓ પાકતાં આવ્યાં છે. તેનું એકમાત્ર કારણ એ જ છે કે એ સમાજમાં નવીન માનસને પારખનાર, તેને દોરનાર અને તેની સાથે તન્મય થનાર કોઈ ને કોઈ સતત નીકળતા જ આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org