________________
જ્ઞાન સંસ્થા અને સંધસંસ્થા
[ ૩૭૯
અત્યારે, બીજે કઈ પણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંઘના આગેવાનો પોતાની સંધસંસ્થાને નિપ્રાણ જેવા ન માગતા હોય અને પિતાના વારસદારને શાપ તેમ જ દેશવાસીઓને તિરસ્કાર વહેરવા ન માગતા હોય તે અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેને ઉપયોગ રાષ્ટ્રપર કરવાની ખાસ જરૂર છે.
આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત. નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ થ ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમ જ નિર્જીવ જમણવારની મીઠાઈઓ ખાવાખવરાવવામાં અને બહુ તે ભપકાબંધ વરઘોડા ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઇતિશ્રી ન સમજે. જે કઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હેય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તે આપણે બધા તેને પ્રાથશું કે આજે જ તેને પિતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તે ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણુમાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તે શાસનદેવતાને ઠપકો આપવો એનો અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તે કશું જ થતું નથી અને હોય તો કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું.
–પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org