________________
૩૭૮ ]
દર્શન અને ચિંતન પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પિતે જાતે જ, શ્રાવકસંઘને અંકુશ પિતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંધનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંઘને અંકુશ સ્વીકારતે જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને એ એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. | મૂળમાં તે સંધના બે જ ભાગ અને ધર્મની દૃષ્ટિએ મહાવીરનો એક જ સંધ, છતાં ગામ અને શહેર તેમ જ પ્રદેશના ભેદ પ્રમાણે એ સંધ લાખ નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયે; અને વળી દુદેવથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખ નાનકડા સંઘે સાથે. ગુણએ તો એ અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુર્દેવ ત્યાંથી જ ન
અટક્યું, પણ ગચ્છ વગેરેના ભેદ પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેઠે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા. આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તો સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખો જૈન સંધ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યું જાય.
એ સામાન્ય તમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બે વસ્તુઓ આવે છે: એક, અહિંસાને આચાર અને બીજી, અનેકાંતનો વિચાર
ભગવાન મહાવીરનો સંધ એટલે પ્રચારક સંધ. પ્રચાર શેને ? તે ઉપલી. બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી બીજી અનેક વસ્તુઓને. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો અને વળી વધારે ને વધારે આજે વહેંચાતો જત જૈનસંધ પિતાના પ્રચારધર્મના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમ જ સર્વત્ર લેકની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે, અને લેકેની એ માગણી અહિંસા તેમ જ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એને અભ્યાસ કરી લે તે હજુયે એ સંધ એ તો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પિતાની ફરજનું ભાન જીવનમાં આવતું કરવું જોઈએ.
દેશના સર્ભાગ્યે તેમાં જૈન જે પ્રચારક સંધ પડ્યો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સૌને જોઈએ અને સૌ ભાગે તેવું જ છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org