________________
જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા
[૩૭૫ ભંડાર જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલય, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિર અને સરસ્વતી મંદિરનાં નામ તેઓએ ધારણ કર્યો છે, અને કલમને બદલે બીબાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકો બહાર પડતાં જાય છે. ભંડારોની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયે જૂના જૈન ગ્રંથે ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયોના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે.
બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારે વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારે વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈન ભંડારે બહુધા સંધની માલિકીના જ હોય છે અને ક્વચિત વ્યક્તિની માલિકીના હોય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટે ભાગે સંધની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણો આસો મહિનામાં જ પુસ્તકમાંથી ચોમાસાનો ભેજ ઉડાડવા અને પુસ્તકોની સારસંભાળ લેવા ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે, જ્યારે જેને કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તક અને ભંડારેને પૂજે છે, અને એ નિમિત્તે ચોમાસામાંથી 'સંભવ બગાડ ભંડારમાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડાવધારા અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં આજે મૂર્તરૂપે આપણી સામે છે.
પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે જમાનાને પહોંચી વળે તેવો કોઈ અભ્યાસીવર્ગ એ ભંડારેની મદદથી ઊભો થતો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારેએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તે જ ભંડારો અને તેથીયે મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હેવા છતાં અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડું છે. કોઈને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. બેએક અપવાદને બાદ કરીએ તે આ જ્ઞાન સંસ્થાને વાર સંભાળી રાખનાર અને ધરાવનાર ત્યાગીવર્ગ જાણે તુષ્ટિમાં પડી ગયું છે, અને અત્યારના યુગની સામે તેના ઉપર જ્ઞાનની દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે એ વાત જ છેક ભૂલી ગયો છે અથવા સમજી શક્યો નથી, એમ કોઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org