________________
૩૭૬ ]
દર્શન અને ચિંતન આ ભંડારોને ઉપગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરે હેઈ શકે. અત્યાર સુધી જે એની સ્થૂળ પૂજા થઈ તેણે હવે અભ્યાસનું રૂપ ધારણ કરવું જોઈ એ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તે ગૃહસ્થ પણ એ દિશામાં પ્રેરાય અને આપણે વારસો બધે સુવાસ ફેલાવે.
અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડાર છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે છતાં પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે અથવા સંધરે જ જવાય છે, તે બધાને ઉપગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બન જોઈએ, અને દરેક ગામ કે શહેરના કેંદ્રસ્થ ભંડાર ઉપરથી એક મહાન સરસ્વતીમંદિર ઊભું થવું જોઈએ, જ્યાં કોઈ પણ દેશ-પરદેશને વિદ્વાન આવી અભ્યાસ કરી શકે અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહે પહોંચે.
આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તે તેઓ ઈચ્છશે છતાં તેમને નામાંથી આલસ્ય, કલેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધતાને જીવતી કરવા આ ભંડારેના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય, ગોઠવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડને ભારેમાં ભારે બોજો લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધોળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશિશ કરી છે તે સાધુવર્ગને મારા જેવા સુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બજાવવા માટે વિનવણી કરવી, એમાં તે વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન ગળી જાઉં તે પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપે આપ સમજી જઈ વિનવણુને નિરર્થક સાબિત કરે.
સંઘ સંસ્થા હવે આપણે વિષયને બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આવક જેવા શ્રમણ પથેની પેઠે જેને વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વર્ણોનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org