________________
૩૭૦ 3
દર્શન અને ચિંતન આગ્રહ જ છોડે પડે. જે માતાએ સિકંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવે જ છૂટકે છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડે જ છૂટકે છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જે સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતો હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકો છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાનો નથી, પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને બદલવા ન બદલવાનો છે. મોઢેથી એમ તે કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જોકે સહુ મનમાં તે જાણે જ છે), એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે.
“વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જે ત્યાગીઓને રહેવાનું વિચારવા, શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તે વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જે વાતાવરણ એદી તથા બીકણ હોય તે તેમાં સાઠ કે એંશી વર્ષને બુદ્ધો દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાનો ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તે ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આ પત્રસ્ત લોકો અને પ્રાણીઓને પાર નથી. સેવકે શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાને વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તે દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભો. થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીઓ જે પિતાના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પિતાના પક્ષને ખરીદેલો નહિ પણ સાચે જ વિજય ભાગતા હોય તે, તેમની ફરજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શું સંબંધ? જે દીક્ષાનો મૂળ ઉદેશ શુદ્ધિજીવનમાં હશે અને તે માટે સતત પ્રયત્ન હશે તે દીક્ષાને સેવા સાથે કરશે વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદેશ જીવનમાં નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તે તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હંમેશાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org