SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપગ [ ૩૬૯ તેવા પુરુષની પાસે અથવા તેઓની સભામાં જઈને કશે જ સાત્વિક ફાળે પણ લઈ કે આપી ન શકે ? જે ત્યાગીઓ ધર્મસ્થાનરૂપ મનાતા પિતાના ઉપાશ્રયમાં મુકદમાઓની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગને ઉપદેશ દઈ પાછા પાટથી નીચે ઊતરી પિતે જ કથાકુથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં બેસનાર પેલા બાળદીક્ષિતે જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એનો કઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હે, પણ દસ્ય અને જાગતો આદર્શ અત્યારે શું હોય છે એ કોઈ જુએ છે ખરું ? જેને પિતે વિદ્વાન માનતા હોય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાર્ય કે સાધુ ઈચ્છા છતાં ભણવા જઈ શકે એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી ? પોતાની વાત બાજુએ મૂકે તેય પિતાના શિષ્ય સુધ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંધાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દે, પણ એક સાધુના રાખેલ પંડિત પાસે બીજા સાધુના શિષ્ય છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્વમંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા તે હતી, પણ જરા મહારાજજીને ભય હતા. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિત મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે “હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.’ હું કબૂલું છું કે આ મારું વર્ણન સર્વને એકસરખું લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણે દીક્ષિતે સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ બાળ અને તરુણદીક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુધ્ધાં ઇષ્ટ ફળ કેવી રીતે આપી શકે એ વિચાર કેઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તે ઝઘડે રહે નહિ. કાં તે દીક્ષાપક્ષપાતીઓને પિતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તે દીક્ષાને. ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy