SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] દર્શન અને ચિંતન તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરેને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરો ? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનમાં અને મૂખામીના બજારેમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને શકે છે તેટલા જખરેખર તેટલા જ પ્રમાણમાં આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઈષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત નથી ભાગ્યે જ અજાણી છે. - કેવળ હકીકત રજૂ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી (લંબાણ અને નિન્દાને જે કોઈ આક્ષેપ કરે તે તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું. એવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તે ગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણુ “નવજીવન' ને લે. જે નવજીવનને વાંચવા હજારો માણસો તલસે અને જેને વિષય જાણવા મેટામેટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉસુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ધાણ આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તો એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તે ખૂબ જ ઈચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિક અને બીજાં પ મંગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એક વાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલે અત્યારે જ. તેમણે નગ્ન છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તે અડચણ નથી, મને અંગત વાંધો જ નથી, પણ લેકે શું ધારે ? એક બીજા જાણીતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પિતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા લાગી જૈન સાધુ જેવા કહેવાય ? સેંકડે સાધુઓ અને સાધ્વીઓ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે ત્યાગીષ લેવો એ કઈ એવો ગુને છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy