________________
આપણે ક્યાં છીએ?
[ ૧૫ ] પજુસણુપર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવાય છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેને રસ વાસી થઈ જાય છે, એ આપણ રેજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વ સંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી, માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પસણુપર્વની ઈતિશ્રી, અને પારણું બને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર તે એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ.
પણ ઉત્તર ગમે તે હોય, છતાં આ સ્થિતિ નભાવવા જેવી તો નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તે આપણે પજુસણુપર્વ નિમિત્તે એ વિશે વિચાર પણ કરો ઘટે છે. પ્રત્યેક સમજદાર જૈન પજુસણુપર્વમાં એક અથવા બીજી રીતે કાંઈને કાંઈ આત્મનિરીક્ષણ તે કરે જ છે, પણ તે નિરીક્ષણ માટે ભાગે વ્યક્તિગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાત પણ વ્યક્તિગત જ રહે છે; અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તે ગણ્યાગાંઠ્યાં વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ નિંદામિ ગરિહામિ થી આગળ વધતું નથી. જે વાતની ભારોભાર નિંદા કે ગહ કરી હોય તેને જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તો બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિંદેલી કે ગહેલી બાબત વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સગુણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણીની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે ન લખતાં હું સામાજિક દષ્ટિએ એ વિશે લખવા ઈચ્છું છું.
સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જેવું સમાજનું વાતાવરણ તે જ તેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે છે. સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org