________________
વહેમમુક્તિ
[૩૪૦
એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે ! '
ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યા હેત તો શું બગડી જાત ? ગર્ભમાં આવવાથી જે ભગવાનનું જીવન વિકૃત ન થયું તો અવતરવાથી શી રીતે વિકૃત થાત ? યશોદાને પરણ્યા છતાં તેને રાગ સર્વથા છોડી શકનાર મહાવીર દેવાનંદાને પેટે અવતારવાથી કેવી રીતે વીતરાગ થતાં અટકત? શુદ્ધ બ્રાહ્મણને પેટે અવતરનાર ઇન્દ્રભૂતિ આદિ ગણુધરેને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણત્વ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણુમાં એ શે ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે ? ક્ષત્રિયત્ન અને બ્રાહ્મણત્વ તાત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કાણુ ઊંચુંનીચું છે અને તે શા કારણે ? આ અને આના જેવા સેંકડો પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નો કરે કેણુ? કરે તે સાંભળે કોણ? અને સાંભળે તે એને બુદ્ધિગમ્ય ખુલાસે કરે આ સ્થિતિ ખરેખર જૈન સમાજના ગૌરવને હીણપત લગાડે તેવી છે. તે વહેમથી મુક્તિ આપવાને બદલે એમાં જ સડે છે.
ઈતિહાસની પ્રતિષ્ઠાને પવન ફૂંકાયો છે. આગળ પડતા જૈને કહે છે કે ભગવાનનું જીવન એતિહાસિક દષ્ટિએ લખાવું જોઈએ, જેથી સૌ બુદ્ધિગમ્ય કરી શકે. પ્રશ્ન એ છે કે ઈતિહાસમાં દેવોને સ્થાન છે? અને સ્થાન ન હોય તે દેવકૃત ઘટનાઓ વિશે કાંઈ માનવીય ખુલાસે આવશ્યક છે કે, નહિ? જે આવશ્યક હેય તે જુના વહેમમાંથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે. અને આવશ્યક ન હોય તો ઐતિહાસિક જીવન લખવા-લખાવવાના મનરથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે; ત્રીજે રસ્તો નથી. કેટલાક લેખકે
ઐતિહાસિક હોવા છતાં આવા વહેમ વિશે ઘટતો ખુલાસો કે મુક્ત વિચારણા કરી નથી શકતા. તેનું એક કારણ એ છે કે તેમના દિલમાં ઊંડે ઊંડે. વહેમની લોકશ્રદ્ધા સામે થવાનું બળ નથી. જે ધમપર્વ સાચી રીતે ઊજવવું હોય તે વહેમથી મુક્ત થવાની વૃત્તિ કેળવવી જ પડશે.
આ તે વિચારગત વહેમે થયા. કેટલાક આચારગત વહેમે પણ છે, અને તે વધારે ઊંડાં મૂળ ઘાલી લોકમાનસમાં પડ્યા છે.
પજુસણ આવ્યાં, સ્વખાં ઊતર્યા, ભગવાનનું પારણું બંધાયું. લેકે પારણું ઘરે લઈ જાય. શા માટે ? અસંતતિયાને સંતતિ થાય તે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org