________________
૩૪૬]
દર્શન અને ચિંતન ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળ રમતમાં દેવ આવ્યાની વાત માનવા. જેવી છે કે નહિ ?
ભગવાન પિતે તે દેવની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવું લખાતું ગયું કે તે દેવની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સંગમ આવ્યું. કઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તે દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કેઈ કારણ જ નથી. પુરાણમાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઈન્ટ મેનકાને મેલી વિદ્ધ કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્ય જીવનને વિચાર કરનાર આગમ-ધર્મમાં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કઈ હશે તેય તે પ્લેચ્છ પ્રકૃતિને માણસ હશે, અને તેણે ભગવાનને પરિષહ આપ્યાં હોય તેય તે અમુક મર્યાદામાં જ આપ્યાં હોવા જોઈએ, પણ જાણું-જોઈને આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાંખી છે કે એ વિશે વિચાર કરતાં પણ ધ્રુજીએ છીએ.
દેની દરમ્યાનગિરી દ્વારા અસંભવ ઘટનાઓ પણ સંભવિત બનાવવાને સહેલે કીમિયો હાથમાં આવ્યું. પછી તે પૂછવું જ શું ? ભગવાને જન્મ તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતર્યા ત્રિશલાને પેટે. આ બનાવને જૈનેતરે જ નહિ, પણ જૈન સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં દેવની દરમ્યાનગિરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભપહરણ તે દેવે કર્યું. દેવની શક્તિ કાંઈ જેવી–તેવી છે? એ તે ધારે તે કરે. આપણું ગજું નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બંધાઈ. મજબૂત બની અને એ વિશે નવું જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસંગને જેનેતો તે બનાવટી લેખતા જ, પણ આ વિષમ કળિયુગમાં જેને પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછવા લાગ્યા. જે તેઓ દેવનું અસ્તિત્વ અને દરમ્યાનગિરી ન સ્વીકારે તો તેમણે જૈન સમાજ જ છોડી દેવો ત્યાં લગી શ્રદ્ધાળુ વિચારણું આગળ વધી. પણ આકાશ કાટયું ત્યાં થીગડાં કેમ દેવાય ?
ધર્મપર્વમાં તો ખુલે દિલે અને મુક્તમને વિચારણા કરવાને માર્ગ ખૂલ જોઈ તે હતો; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યના ખુલાસાઓ શેધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું
ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખે ત્યાં આઠે દિવસ હજારે કેની માનસિક એરણ ઉપર વહેમો અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનેના હથેડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમ જ ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org