SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ વહેમમુક્તિ [ ૩૪૫ આવી સ્થિતિ હાવાથી પશુસણ જેવું ધર્મ પર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈ એ, તે વહેમેની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પશુસપની આરાધનાની આડમાં લોકો વધારે ને વધારે વહેીલા અને વેવલા બનતા જાય છે; સમાજની ભૂમિકા ધ પવને નિમિત્તે શુદ્ધ તેમ જ દૃઢ ચવાને બદલે અશુદ્ધ અને નિળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં ચેડા ઊહાપોહ કરવા યોગ્ય ધારું છું. પશુસણમાં ખીચ્છ ગમે તે ધર્મ પ્રવૃત્તિ ચાલતી હાય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારો વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિ અને પરિતા પણ એ વાંચતા અને સભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવકા એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધ પર્વની આરાધના અને ધપવની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈ એ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મ-દિવસેામાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેંમાથી જકડાતા જઈ એ છીએ. જો છૂટતા હાઈ એ તો તા પ્રશ્ન જ નથી, પણ જો જકડાતા જતા હોઈએ તે નિઃસ્વાથ અને નિય એવા વિચારકવગે લોકેા સામે લાલબત્તી ધરવી જરૂરી થઈ પડે છે, જન્મ-પ્રસંગ લે. ભગવાનના જન્મ થયેા ને લાખા દેવ-દેવીઓ આવ્યાં. દિક્કુમારી શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હાર પ્રયત્ને પણ સમજી શકાય તેવું નથી એના વિચાર કાઈ વાચક કે શ્રોતા કરતો જ નથી. ઊલટુ કહેવામાં એમ આવે છે કે એ તો મહાપુરુષોનાં જીવન છે, આપણા સાધારણ જીવન નથી. જે સાંભળતા હાઈ એ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈ એ. શ્રદ્દાના આ તત્ત્વે સાચી સમજની ઇચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદા નાખ્યા, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગો વિશે એને કાંઈ પૂછ્યા, શોધવા કે સત્યાસત્યને વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્ય જ્વન સુલભ બાળક્રીડાએ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકેા રમે તે ભગવાન શાના? રમતમાં દેવની વિકુશ્ર્વિત ગગનચુંબી કાયાને ભગવાન દખાવી ન શકે તે રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે ? એટલે લેાકેા પેાતાના ભગવાનને બીજા ભગવાતા કરતાં વધારે ચડિયાતા માનવા—મનાવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy