________________
વહેમમુક્તિ
[૧૪]
પૂજીસણ એ ધર્મ પર્વ છે. ધર્માંપના સીધા અને સરળ અર્થ તો એટલે જ છે કે જે પ માં ધર્મની સમજણુ દ્વારા, હાઈ એ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહેાથી મુક્ત થવા જેટલી હિંમત કેળવીએ તો આપણુને સમજાયા સિવાય નહિ રહે કે આપણે માટેભાગે ધમ પ ને વહેમપુષ્ટિનું જ પર્વ બનાવી મૂકયુ છે, જૈનધમ કે બીજો કાઈ પણ સાચો ધર્મ' હોય તો તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હાઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમાનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્માંના અભાવ—આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ જરૂર છે.
.
નાનામોટા બધા જ વહેંમાનું મૂળ અજ્ઞાન કે અવિદ્યામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મેટી તેમ જ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમાની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ્ય થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં એ વૃત્તિએ મુખ્ય છે: એક લાભ અને બીજો લાલચ અને ડર બન્ને અજ્ઞાનનાં જ પરિણામેા છે. ધણાં વહેમ લાલચમૂળક છે તે બીજા ભયમૂળક છે, અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તો તે, ન કળાય એવી રીતે ધર્મોના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયનાં તત્ત્વને જન્મ આપે જ છે તેમ જ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારનેત્રા ઉપર એવા ગાઢ પડદો નાખે છે કે માણસ પોતે વહેમાને ભાગ બનવા છતાં તેનાં કારણે લાલચ અને ભયને જોઈ શકતા નથી અને ઊલટુ વહેમાને જ ધર્મ માની તેનાં કારણ લાભ અને ભયને પાધ્યે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પોતાના વિરોધી સમ્યગ્નાનનું સાચું સ્વરૂપ તે! સમજવા ન જ દે, પણ પેાતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રોકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org