________________
ધર્મપર્વ કે જ્ઞાનપર્વ
[ ૧૩] પણ એ જેનોને જાણી અને જૂનો ધર્મ-તહેવાર છે. એ અહવાંકિયું આવ્યા પહેલાં ઘણુ દિવસ અગાઉથી જ તેની અનેક જાતની વ્યાવહારિક અને ધાર્મિક તૈયારીઓ જૈન સમાજમાં થવા માંડે છે. જ્ઞાન અને ધર્મ મેળવવા તેમ જ સેવવા ગામોગામના શ્રાવકે પિતા પોતાના ગામમાં ચોમાસા માટે ત્યાગીવર્ગને આમંત્રે છે અને વિનવે છે. કેટલાક પહેલેથી જ તપ કરવા માંડે છે. કેટલાક વળી તપ પાછળ અને તપની પહેલાં પારણાં તેમ જ અતરવારણ માટેની પહેલેથી ખૂબ તૈયારીઓ અને ગોઠવણે કરે છે. એ પર્વમાં સ્વાદ અને તેના ત્યાગ બન્નેનું આરાધન એકસરખું અત્યારે જણાય છે, પણ મૂળે એ પર્વ ધર્મ અને જ્ઞાનનું છે.
જીવનમાં ધર્મ ઊતરે અને અનેક પ્રકારનું જ્ઞાન મળે તે માટે અત્યારે આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વાંચવાની પ્રથા છે અને બાકીના વખતમાં આવશ્યક ક્રિયા વગેરે અનેક જાતની ક્રિયાઓ ગોઠવાયેલી છે. ભગવાનના જીવન માટે કલ્પસૂત્ર વાંચવા-સાંભળવાની પ્રથા છે. એ સૂત્ર બg મેટું નથી, પણ એની સાથે એની ટીકાઓ વંચાતી હેવાથી તે જેમ લાંબુંલચર થઈ જાય છે તેમ તેમાં પુનરુક્તિ પણ થઈ જાય છે. અતિશ્રદ્ધાળુ સિવાયના અને આતિ ધીરજવાળા સિવાયના ઘણું લેકે તેના વાચન વખતે કંટાળે છે અને ઘણું તે ઊંઘે છે. બીજી બાજુ નવીન સંસ્કાર પામેલો અને પામતો તરુણવર્ગ ફરિયાદ કરે છે કે એમાં ભગવાનના જીવનની મૂળ વસ્તુ બહુ ઓછી આવે છે અને વર્ણને તેમ જ અલંકારના થરે એટલા બધા આવે છે કે એ શ્રવણુ માત્ર નીરસ જ નહિ, પણ અનુપયોગી જેવું થઈ જાય છે. નક્કી કરેલો ભાગ વાંચવાને હેવાથી તે વખતે વાંચનારને ઘણીવાર એટલી ત્વરા કરવી પડે છે કે રિણા અને મનન માટે શ્રોતાને વખત રહેતા જ નથી. વળી માત્ર શ્રવણ માહાતમ્ય વધી ગયેલું હોવાથી અને એકસાથે મનન ન કરી શકાય એટલે પણો ભાગ સાંભળવા માટે લાંબે વખત બેસવું પડતું હોવાથી કઈ તા. ભાગ્યે જ સાંભળ્યા ઉપર મનન કરે છે, અને પરિણામે સમાજમાં જેટલે અને અાપતા કેળવાઈ છે તેટલે અંશે વિચારપટુતા નથી કેળવાઈ; તેથી ઊલટું એ ભાળે વિચારજડતા જ દ% થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org