SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [૩૩૭ સારું કામ કરવું. આ સંસ્કારના બળથી નાના કે મેટા, ભાઈ કે બહેન દરેક પજુસણુ આવતાં જ પિતતાની ત્યાગ, તપ આદિની શક્તિ અજમાવે છે. અને મેર જ્યાં દેખે ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ, અષાહ મહિનાનાં વાદળની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતો સર્વત્ર નજરે પડે છે: (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને કુરસદ મેળવવા પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભેગે ઉપર ઓછેવત્તે અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ, (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની રોગ્ય પ્રતિપત્તિ–ભક્તિ. (૫) જેને અભયદાન આપવાને પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતના સંસ્કાર અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટે એ બે વચ્ચે અથડામણ ઊભી થાય છે અને પરિણામે આપણે પજુસણુના કલ્યાણસાધક દિવસમાં પણ ઈચ્છીએ તેવો અને કરી શકીએ તેટલે ઉપરના સુસંસ્કારોને ઉપયોગ કરી નથી શકતા, અને ધાર્મિક બાબતે સાથે આપણા હમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગે ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછો જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ; અને ઘણી વાર તો હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પાસણ જેવા ધાર્મિક દિવસનો ઉપયોગ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તે થતું જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેને કશે જ ઉપયોગ કરી શકતા નથી. આપણે સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હોઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનનો તે સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનનો વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મેઢે કહ્યા કરીએ છીએ કે જીવન તે આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાને ઉપયોગ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy