________________
૩૨૮ ].
દર્શન અને ચિંતન લાયકાત હોય તે, આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જતને પજુસણના દિવસેને ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છેઃ (૧) એક તે એ કે જૈન ધર્મે પિતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તો આપણને આપ્યાં છે અને તેને સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણની દષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (૨) બીજું એ કે આપણે પજુસણુની નિવૃત્તિને ઉપયોગી એવી દિશામાં કર કે જેથી આપણે ઉપરાંત આપણા પડોશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણું સામાજિક જીવનની લેકમાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે મોઢે સૌની મેખરે ઊભા રહી શકીએ અને આપણું ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે.
આપણામાં મુખ્ય બે વર્ગો છે. એક વર્ગ એ છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તવ શું વગેરેને કશે જ વિચાર નથી. તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પિતાની રીત કરતાં બીજી રીતે જોવામાં પણ તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉધાડવામાં પણ તેને ગુનો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી કોઈ પણ ભાષા અને બીજે કઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એ છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પિતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પિતાને વિચાર હોતો નથી, તેને પિતાનાં સ્થિર પણ કાંઈ હેતાં નથી. માત્ર જે તરફ લોકે મૂકતા હેય તે તરફ તે વર્ગ મૂકે છે. પરિણામે સમાજના બન્ને વર્ગોથી આપણું ધર્મનાં વિશિષ્ટ તત્વોને વ્યાપક અને સારે ઉપયોગ થઈ શકતું જ નથી. તેથી જરૂરનું એ છે કે લેકમાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણું આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષયો ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષય એવા છે કે જે જૈનધર્મના ( કહો કે સર્વ ધર્મના) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તોને ઉપગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હોય છે, તેમાંથી ફાયદો ઉઠાવી શકે; આધ્યાત્મિકપણે કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. - નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલ પર પરાઓ પણ કાંઈ શાસ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org