SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [ ૩૩૫ લાલચ અને અશ્રુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારે અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજા–એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મોળાકત, મંગળાગૌરી, જયેષ્ઠાગીરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજ, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારે વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલે તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉસ શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પોષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વિધક દષ્ટિવાળા ગણ્યાંગાંડ્યા થડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારે પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યાહૂદી, ખ્રિસ્તી અને જરથુસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી યોજાયેલા કેટલાક તહેવાર ચાલે છે. ઈસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનનો મહિને આ જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાયેલું છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજાં ઘણાં પવિત્ર ફરમાને કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાને ભેદ છેડી દેવા, આવકના ૨ ટકા સેવા કરનાર નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ કરિના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારે એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવણી છે, એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૌદ્ધ તહેવારે લેકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનેનો એક પણ નાને કે મેટો તહેવાર એ નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિરમયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરેના કઈ પણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલું છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy