________________
પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ.
[૧૨] પર્વની ઉત્પત્તિ
તહેવારે અનેક કારણોથી ઊભા થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલો હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજાં કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હો, છતાં તે બધાનાં સામાન્ય બે કારણે તે હેય જ છે: એક ભક્તિ અને બીજી આનંદ. કઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખાતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતિ જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છે, એટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લકે કઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવું. મળવું, ગાવું બજાવવું, લેવું દેવું, નાચવું-કૂદવું, પહેરવું-ઓઢવું, ઠાઠમાઠ અને અને ભપકા કરવા વગેરેની ઓછીવતી ગોઠવણ વિનાને કોઈ પણ સાત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે.
તહેવારોના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ : (૧) લૌકિક, (૨) લેકેર; અથવા આસુરી અને દેવી. જે તહેવારે ભય, લાલચ અને વિસ્મય જેવા શુદ્ર ભામાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકને લાયક હોવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશદિને કે જીવનની મહત્તાને ભાવ નથી હોત, પણ પામર વૃત્તિઓ અને શુદ્ધ ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારે જીવનશુદ્ધિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવાર ઉચ્ચ ભૂમિકાના લોકોને લાયક હોવાથી કેત્તર અગર દેવી કહી શકાય.
પહાડે અને જંગલમાં વસતી ભીલ, સંચાલ, કાળી જેવી જાતે અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાધરી જેવી જાતોમાં અને ઘણુવાર તે ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતેમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તે તરત જ જણાશે કે એમના તહેવારો લય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org