________________
૩૩૨ ]
દર્શન અને ચિંતન મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવ્યસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊમિ. માં સાવ ઘેલું થઈ ગયું છે કે જે એટલુંય ન જાણતા હોય કે કોઈ ભગવાન મેઢા મેઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક પ્રકારની હેય છે,
જ્યારે તેનું તાત્પર્ય તદ્દન જુદું હોય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સંદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણમાંથી પ્રગટેલ નિશ્ચય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પોતાના જ આધ્યાત્મિક નિર્ણયની ઝંખના ચાલુ જૈન પરમ્પરાની શિલીને ઉપયોગ કરી વ્યક્ત કરે છે.
સાતમી ક્કી વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણું, ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાય છે,
જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજે. આ સાતમી કડીમાં ઉપસંહાર કરતાં દેવચંદ્રજી માત્ર બે બાબતે કહે છેઃ એક તે એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પિતે તે નિશ્રયદષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણે કે નામે તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામો ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજી અને છેવટની બાબત એક માગણમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનંતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિતવમાં વેવલાપણું કે ગાંડપણ દાખલ ન થાય તેટલા માટે જિનશાયુક્ત ભક્તિતત્વની માગણી કરે છે. જિઆજ્ઞાને આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈએ તેવો અર્થ અહીં લેવાને નથી—એમાં તે વેવલાપણું આવી પણ જાય–પણું જિનઆજ્ઞા એટલે નિશ્રયદષ્ટિએ જીવનશુદ્ધિના માર્ગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલો શાસ્ત્રો અને સામર્થગને અથવા તાત્વિક ધર્મસંન્યાસના કે ક્ષપકશ્રેણીના આરે હરણને નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે
એહ પરમપદપ્રાપ્તિનું કર્યું સ્થાન મેં, ગજા વગરને હાલ મને રથ રૂપ જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org