SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬] દર્શન અને ચિંતન બધુ સ્તંવ, લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્વ ઉપર છે; પુરુષ કોઈ પણ જાતના કર્તવ વિનાને માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ કર્તવ ભાસે છે. એ ત્રષિઓ કહે છે કે આત્મા (બ્રહ્મ કે સત તત્ત્વ) પહેલાં એકલે હતો. એને એકલપણામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની ઈચ્છા થઈ. એ ઈચ્છામાંથી અજ્ઞાત માયાશક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયે. આ અનેકરૂપતા એ જ સંસાર. આ વર્ણનમાં બધું જ કર્તૃત્વ આત્માનું છે–પુરુષનું છે. માયા કે. શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તો તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વતંત્રપણે કત્વ જેવું કાંઈ નથી, જ્યારે કપિલની પ્રકૃતિમાં બધું કર્તવ સ્વતંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરષ અને સીતાના અનુગમન માત્રના સંબધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સંસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને તે પ્રકૃતિમાં છે, તો બીજાને મતે પુરુષમાં છે. આ બન્ને દેખીતા પરસ્પરવિદ્ધ મતો છે, અને તેથી તે એકાન્ત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દષ્ટિ રજૂ કરે છે, પણ તેમને “હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર ૫ગલે” એ શબ્દથી વ્યક્ત થતો ઝાક ઉપનિષદના ઝોક જેવા છે. દેવચંદ્રજીને “હું” પોતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપમેળે જ છોડ્યું અને હું પગલિક લીલામાં રસ લેતા થયે. દેવચંદ્રજીને. હું” પુદ્ગલ કે કર્મને દેશ ન દેતાં બધો જ દોષ પિતાને માથે વહેરી લે છે. આટલી ચચ ઉપરથી વાચકે એ વિચારી શકશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિન્તાએ એક જ વસ્તુ અનેક રૂપે વર્ણવી છે. કોઈ પ્રકૃતિ, પુગલ યા ભાયા ઉપર દોષને ટોપલે ઠાલવે છે તે બીજો કોઈ પુર", આત્મા કે જીવ ઉપર. કહેવાની ભેગી કે શૈલી ગમે તેવી હોય, તેને અંતિમ સિદ્ધાંત ભાની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અજ્ઞાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં. - જૈન દૃષ્ટિ માને છે કે જે નાટક, જે પરિણામ કે જે ખેલ કોઈ એક પાત્રથી ભજવાત નથી એનું તૃત્વ બન્નેને ફાળે જાય છે. અલબત, એમાં એક હિસ્સો અમુક રીતે હોય ને બીજાને બીજી રીતે. પણ અજા સંતતિ પેદા કર્યા કરે અને એમાં અજને કશે રસ નથી એમ કહેવાને કશે અર્થ નથી. એ જ રીતે આત્મા એ મટી બેકલે થાય છે, ત્યારે પણ એને બીજા ઈ અજ્ઞાત તત્વની મદદ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy