________________
આત્મદષ્ટિનું અંતર નિરીક્ષણ
[૩ર૭ માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદો નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાં-ફસાશે. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એ ધૂર્ત છે કે તે ભળી અને ગભરુ નિર્દોષ સ્ત્રી જાતિને પિતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ કરવાની અને આકર્ષિત થવાની શક્તિ ન હોય તે બંનેને યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅવ બને તત્ત્વનું અપેક્ષાભેદથી કર્તૃત્વ સ્વીકારે છે.'
બાઈબલને ઈશ્વરરચિત આદમ એડનના બાગમાં એકલે હો અને પછી તે પિતાની જ પાંસળીમાંથી બેકલે થયો. જ્યારે હવે સામે આવી ત્યારે જ વાસનાના સર્ષે તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના “Man and Superman” નાટકમાને પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પિતાની રતિ અને સગવડ ખાતર સજાયેલે છે–ભલે પછી તે આગળ જતાં પિતાની સર્જનહારીને સ્વામી બની ગયો હેય. શેના આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તો ના નહિ. તત્ત્વજ્ઞ આવા રૂપક વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વક્તવ્ય છે.
રાગ-પ અને અજ્ઞાનનો દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાંનો આસ્રવ છે અને એ દેપથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આવે અને બંધ બધાં જ આસ્તિક દર્શને જુદે જુદે નામે વર્ણવ્યા છે. દેવચંદ્રજીને
હું” આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાત્તાપની ઊંડી વેદના સાથે પિકારી ઊઠે છે કે “હું” પિતે જ દૂષિત છું, હું પોતે જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દેવ મૂકું છું. ખરી રીતે પુગળ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પિતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીનાં “હું' ના આ ઉગારે પુરુષાર્થ ભણું પ્રેરનારા છે. જે બીજા કોઈને દોષ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યુદચ્છા કામ કરી રહી ન હોય તે એ દેવથી બચવાને આધાર પણ બીજ ઉપર રાખી ન શકાય. આ ભાવને મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org