SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ આબનુિં આંતર નિરીક્ષણ ૩૫ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનમાં પણ ચેતન-અચેતનના સંબંધને અહિ જ. માન્ય છે અને છતાં નિશ્રયદષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ, કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મેક્ષપ્રાપ્તિ પછી આવિ. ભૂત થવાનું હોય. ખરી રીતે એક કેયડે અત્યાર લગી અણઉકેલાયેલે જ. રહ્યો છે કે જે બને તો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવનાં હેય અને બનેને એકબીજા ઉપર પ્રભાવ પડ્યો હોય તે તે શા કારણે અને ક્યારે? વળી જે ભવિષ્યમાં કદી પણ એકને પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાને હોય તે ફરી એ પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કેયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણું છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણે મનુષ્યજાતિમાં વિકાસ પામ્યા છે. જૈન પરંપરાની નિશ્રયદષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થ દષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદૃષ્ટિ તે બૌદ્ધોની સંસ્કૃતિ અને વેદાન્તીઓની માયા અગર અવિદ્યા. દેવચંદ્રજીએ જે તત્વ આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી, વાણીમાં ગાયું છે તે જ તત્ત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાનુભવી ઋષિઓએ સ્નિગ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તે ઉપનિષદના ઋષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દામ્પત્યજીવનની પેઠે સંસારજીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમના બે જ પાત્ર સ્ત્રી અને પુરુષ; બ્રહ્માંડના તખ્તા ઉપર ખેલાતા સાંસારિક જીવનનાં પણ બે જ પાત્રો કપિલે કયાં છે. એ બન્નેને સ્ત્રી-પુરુષનાં અગર પનીપતિના રૂપકને આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધુ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું ત્યારે કૃતાર્થતાની સાથે શરમાઈ પિતાને ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરષ કશું પણ નથી કરતે કે. કરાવત; એ તે લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુક્ત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અા એટલે કે બકરી એક છે અને તે લાલ, સફેદ, કાળા વર્ણની અર્થાત કાબરચીતરી છે અને પિતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બકરે અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને ભક્તબેગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy