________________
. ૩૨૪ ]
દર્શન અને ચિંતન હતો અને પછી તે જડ પાશમાં બંધાય ? જો આમ માનીએ તો પુરુષાર્થની માન્યતા જ નકામી કરે, કેમ કે પ્રયત્ન દ્વારા ક્યારેક મેક્ષ સિદ્ધ થાય અને શુદ્ધસ્વરૂપ આવિર્ભાવ પામે, તોપણ ત્યાર બાદ કોઈ વખતે ફરી કર્મપાશ કેમ ન વળગે? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી. મોક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યત કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જે એમ બને તે મોક્ષ પ્રાપ્ત કર્યો તેય શું અને ન કર્યો તેય શું? બીજી રીતે એમ કહી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવે ગમે તેટલે વખત સુખસમૃદ્ધિ ભગવે છતાં તેઓ તેથી વ્યુત થવાના. એ જ રીતે મોક્ષસ્થિતિ, પણ ગમે તેટલે લાંબે ગાળે પણ છેવટે ચુત થવાની. ત્યારે “હું સ્વરૂપ નિજ છેડી રમ્યો પર પુદ્ગલે” એનો શો અર્થ, એ સમજવું રહ્યું. એ માટે નિશ્ચય અને વ્યવહારદષ્ટિ બન્નેનો ઉપગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મોક્ષ નામના પુરુષાર્થને જે સ્થાન મળ્યું છે તે વિચાર-વિકાસના ઈતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે મેક્ષની ક૯૫ના આવી અગર એ કોઈને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કલ્પાયું અગર અનુભવાયું અને એ જ સ્વરૂપ એનું અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગન્તુક અને પર છે, એમ મનાયું. કેઈ પણ અનુભવીએ આત્માના કલ્પાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્વ ક્યારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયું એ જાણ્યું નથી, જાણવું શક્ય પણ નથી. છતાં મક્ષ પુરુષાર્થની કપના ઉપરથી કપાયેલ આત્માને શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પિતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્વને વિજાતીય કે ભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યું છે. મોક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ.એજ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દષ્ટિ તે નિશ્ચય. અને સાધકદશામાં પર-ભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બન્ને દૃષ્ટિઓને આશ્રય લઈને કહે છે કે “હું સ્વરૂપ નિજ છોડી રમે પર પગલે.” ખરી રીતે પહેલાં ક્યારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતું જ નહિ, તેથી એમાંથી શ્રુત થવાપણું પણ હતું જ નહિ, ખરી રીતે તે તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતો, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ ક્યારેક નિખરવાનું છે તેને જ નિશ્ચયદષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દષ્ટિનો આશ્રય લઈ “હું સ્વરૂપ નિજ છોડી રોડ પર પુદ્ગલે” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org